‘તારક મહેતા’નો સોઢી ચાર દિવસથી છે ગુમ, એરપોર્ટથી ઘરે જ નથી પહોંચ્યો એક્ટર

26 April, 2024 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gurucharan Singh Missing: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર ગુરુચરણ સિંહની મિસિંગ ફરિયાદ નોંધાવી તેના પિતાએ

ગુરુચરણ સિંહ

જ્યારે આપણે ટીવી ઈન્ડસ્ટ્રી (Television News) ના લોકપ્રિય શોની વાત કરીએ તો તેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) નું નામ હંમેશા સૌથી પહેલા આવે છે. સિરિયલના એકર્ટ્સ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે. એકર્ટ્સ હંમેશા હેડલાઇન્સ બને છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એક્ટરને લઈને મોટા સમાચાર આવ્યા છે. સિરિયલના સરદાર રોશન સિંહ સોઢી (Roshan Singh Sodhi) એટલે કે ગુરુચરણ સિંહ (Gurucharan Singh) છેલ્લા ચાર દિવસથી ગુમ છે અને આ વિશે ફરિયાદ નોંધવામાં આવી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગુમ (Gurucharan Singh Missing) છે અને તેમના ઘરે પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં હવે ચિંતાતુર તેના પિતાએ પોલીસ (Police) માં ફરિયાદ નોંધાવી છે.

લાંબા સમય સુધી ગુરુચરણ સિંહે રોશન સોઢીના પાત્રથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં સોઢીની ભૂમિકા ખૂબ પ્રખ્યાત થઈ હતી અને આજે ચાહકો તેમના વિશે વાત કરે છે. પરંતુ તેના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

ગુરુચરણ સિંહના પિતાએ પોતાના પુત્રના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ગુરુચરણના પિતાએ કહ્યું છે કે, મારો પુત્ર ગુરુચરણ સિંહ, જે ૫૦ વર્ષનો છે. તે ૨૨ એપ્રિલે સવારે ૮.૩૦ વાગ્યે મુંબઈ (Mumbai) જવા નીકળ્યો હતો, પરંતુ આજ સુધી તે મુંબઈના ઘરે પહોંચ્યા નથી. તેમનો ફોન સ્વીચ ઓફ છે, જેના કારણે અમે તેનો સંપર્ક કરી શકતા નથી. તે માનસિક રીતે ખૂબ જ ફિટ છે. આવી સ્થિતિમાં તેના અચાનક ગુમ થવાથી સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. આ રીતે ગુરુચરણ સિંહના પિતાજીએ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. તેની છેલ્લી પોસ્ટ માત્ર ચાર દિવસ પહેલાની હતી, જેમાં તે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. આ તસવીરમાં પણ તે ખુશખુશાલ મૂડમાં છે અને તે અવારનવાર ખુશીના વીડિયો શેર કરે છે. જોકે ચાર દિવસથી તેણે કોઈ પોસ્ટ નથી કરી.

નોંધનીય છે કે, રોશન સિંહ સોઢી તરીકે ગુરુચરણ સિંહ લગભગ ૧૨ વર્ષથી અસિત મોદી (Asit Modi) ના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો ભાગ હતો. વર્ષ ૨૦૨૧માં તેણે આ કૉમેડી શોને અલવિદા કહ્યું હતું. તેણે પિતાની તબિયતનું બહાનું આપીને શો છોડી દીધો હતો. એક્ટરનું કહેવું હતું કે, તે પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરવા ઈચ્છે છે.

આવી પરિસ્થિતિમાં એક્ટર ગુરુચરણ સિંહના ગાયબ થવાથી ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

taarak mehta ka ooltah chashmah indian television television news tv show entertainment news