હાથમાં ડ્રિપ્સ લગાવી હોવા છતાં ઍક્ટ્રેસિસને ઘરે જવાની મંજૂરી નથી મળતી

27 April, 2024 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી-ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતાનો ખુલાસો કર્યો ભારતી સિંહે

ભારતી સિંહ હસબન્ડ હર્ષ લિંબાચિયા સાથે

કૉમેડિયન ભારતી સિંહે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો છે. તેણે જણાવ્યું છે કે સિરિયલમાં કામ કરતી ઍક્ટ્રેસિસને બીમારીની હાલતમાં પણ શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી ઘરે જવાની પરવાનગી નહોતી. સાથે જ ભારતીના હસબન્ડ હર્ષ લિંબાચિયાએ પણ જણાવ્યું કે કામના પ્રેશરના કારણે ડિરેક્ટર્સને હાર્ટ-અટૅક આવે છે. સિરિયલમાં જે પ્રકારે તનાવમાં કામ કરવું પડે છે એ વિશે ભારતી સિંહ કહે છે, ‘મેં એવી અનેક ઍક્ટ્રેસિસને જોઈ છે જેના હાથ પર ડ્રિપ્સ લગાવી હોય છે અને જ્યાં સુધી શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી તેમને ઘરે જવાની પરવાનગી નથી મળતી. અમારી નીંદર પૂરી નથી થતી, અમારે સતત ઊભા રહીને શૂટિંગ કરવાનું હોય છે. ડાયલૉગ્સ બોલીએ છીએ. લોકો અમારી પ્રશંસા કરે છે.’

તો બીજી તરફ તેનો હસબન્ડ હર્ષ લિંબાચિયા કહે છે, ‘મેં જોયું છે કે ઊંઘ પૂરી ન થવાને કારણે ડિરેક્ટર્સ અને ક્રીએટિવ્સને હાર્ટ-અટૅક આવે છે અને સ્વાસ્થ્ય બગડે છે. લોકો સતત ચા પીએ છે, સ્મોક કરે છે, સેટ પરનું ફૂડ ખાય છે અને પછી ઍસિડિટી થાય છે. જોકે એને તેઓ કન્ટ્રોલ નથી કરી શકતા.’ 

bharti singh manoj bajpayee television news indian television entertainment news