મારી કરીઅરમાં મને કોઈ વાતનો પસ્તાવો નથી : શ્વેતા તિવારી

26 July, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે બે દાયકાથી ઍક્ટિંગના બિઝનેસમાં સક્રિય છે. તેણે ૧૯૯૯થી કામ કરવાની શરૂઆત કરી હતી.

શ્વેતા તિવારી

શ્વેતા તિવારીનું માનવું છે કે તેને તેની કરીઅરમાં કોઈ વાતનો પછતાવો નથી. તે બે દાયકાથી ઍક્ટિંગના બિઝનેસમાં સક્રિય છે. તેણે ૧૯૯૯થી કામ કરવાની શરૂઆત કરી હતી. જોકે ખરી ઓળખ તેને ‘કસૌટી ઝિંદગી કી’માં ભજવેલા તેના પ્રેરણા શર્મા બજાજના પાત્રથી મળી હતી. ૨૦૦૧થી માંડીને ૨૦૦૮ સુધી આ શો ઘર-ઘરમાં જાણીતો થયો હતો. બાદમાં તે ‘પરવરિશ’, ‘બેગુસરાઈ’ અને ‘મેરે ડૅડ કી દુલ્હન’માં જોવા મળી હતી. તે ‘બિગ બૉસ’માં પણ જોવા મળી હતી. હવે તે  ‘ખતરોં કે ખિલાડી 11’માં પણ જોવા મળવાની છે. આટલાં વર્ષોમાં તેણે જે પણ મેળવ્યું છે એને લઈને તે ખુશ છે. એ વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીની મારી પ્રગતિથી હું ખુશ છું એટલું જ નહીં, મેં કરીઅર દરમ્યાન જે પણ ભૂલો કરી છે એનો પણ હું સ્વીકાર કરું છું. એમાંથી જ હું ઘણુંબધું શીખી છું. મારી કરીઅરમાં મને કોઈ વાતનો પસ્તાવો નથી. મેં મારી જાતને એક જ ભૂમિકામાં નથી બાંધી રાખી. મેં કદી પણ એક જ રોલ વારંવાર નથી કર્યા. હું જ્યાં સુધી કામ કરીશ ત્યાં સુધી અલગ-અલગ કામ કરતી રહીશ. મારા માટે પૈસા નહીં, પરંતુ કામ અગત્યનું છે. હું જ્યારે પાછળ ફરીને જોઉં છું તો હું ખુશ થાઉં છું. હું આગળ વધવા માગું છું. હું અનેક રોલ્સ અને અલગ પ્રકારનાં કામ કરવા માગું છું.’

shweta tiwari television news entertainment news