તારક મહેતા ફેમ બબીતા અને ટપ્પુની સગાઈનું આ છે સત્ય? મુનમુન દત્તાએ જણાવી હકિકત

13 March, 2024 10:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Munmun Dutta Engaged: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈના સમાચાર વહેતાં થયા છે. ઘણા લોકો આ સમાચારને અફવા ગણાવી રહ્યાં છે. એવામાં ખુદ બબીતાજીએ આ અંગે ખુલાસો કર્યો છે કે શું છે સત્ય?

મુનમુન દત્તા અને રાજ અનડકટ

Munmun Dutta Engaged: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. બંન્નેએ સગાઈ કરી લીધી હોવાના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા હતા. મુનમુન અને રાજની સિક્રેટ એન્ગેજમેન્ટ(Munmun Dutta Engaged)ની ચર્ચાથી બધાને આશ્ચર્ય થયું હતું.પરંતુ હવે મુનમુને આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે અને તેને નકલી ગણાવ્યું છે. આ સાથે જ રાજ ઉનડકટે પણ આ માહિતીને પાયાવિહોણી ગણાવી છે. 

મુનમુને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. ગુસ્સો વ્યક્ત કરતાં અભિનેત્રીએ કહ્યું કે ન તો તે આ વિશે કોઈ રીતે વાત કરવા માંગે છે કે ન તો તે તેના પર કોઈ ધ્યાન આપવા માંગે છે. મુનમુને કહ્યું- આ બહુ ખરાબ છે. આ સમાચારમાં એક ટકા પણ સત્ય નથી. હું આ નકામા અને નકલી સમાચાર પર મારી શક્તિ વેડફવાનો પણ ઇનકાર કરું છું. 

તે જ સમયે, રાજની ટીમે આ સમાચાર પર મૌન તોડ્યું અને કહ્યું - મને સ્પષ્ટ કરવા દો, તમે લોકો સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે ખોટા અને પાયાવિહોણા છે.

થોડા કલાકો પહેલા સમાચાર આવ્યા હતા કે રાજ અનડકટ અને મુનમુન સેને ગુજરાતના વડોદરામાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. અગાઉ એવા અહેવાલ હતા કે રાજ અને મુનમુન આ મહિનાની શરૂઆતમાં એકબીજા સાથે સગાઈ કરી ચૂક્યા છે.આ સમારોહમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. બંનેના પરિવારજનોએ પણ આ સંબંધ પર ખુશી વ્યક્ત કરી હતી.

જો કે મુનમુનના મતે આ સમાચાર ખોટા સાબિત થયા છે. મુનમુન રાજ કરતા 9 વર્ષ મોટી છે. તેમના અફેરની ચર્ચાને કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું.જ્યારે મુનમુન તારક મહેતામાં બબીતા ​​જીની ભૂમિકા ભજવે છે અને રાજ ટપ્પુની ભૂમિકા ભજવતો હતો. બધાએ જેઠાલાલને યાદ કર્યા, જેમના પર બબીતાજીનો ક્રશ હતો.

નોંધનીય છે કે આ પહેલા પણ રાજ અને મુનમનને લઈને ઘણી અફવાઓ ઉડી હતી. તેમની નિકટતા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. પરંતુ તે પછી પણ મુનમુને એક વીડિયો જાહેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.પોતાની નારાજગી વ્યક્ત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે આવા સમાચાર ફેલાવતા પહેલા વિચારવું જોઈએ કે કોઈના પરિવાર પર તેની શું અસર થશે.

taarak mehta ka ooltah chashmah television news entertainment news indian television