16 June, 2025 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુશાલ ટંડન, શિવાંગી જોશી
લોકપ્રિય ટીવી-ઍક્ટર કુશાલ ટંડને ઇન્સ્ટાગ્રામ પર ખૂબસૂરત ટીવી-ઍક્ટ્રેસ શિવાંગી જોશી સાથેની તેની રિલેશનશિપ પૂરી થઈ ગઈ છે એવી જાહેરાત કરી હતી, પણ પછી થોડા ટાઇમમાં એ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. કુશાલે આ પોસ્ટમાં લખ્યું હતું કે તે અને શિવાંગી પાંચ મહિના પહેલાં અલગ થઈ ગયાં છે. બીજી પોસ્ટમાં કુશાલે એમ પણ લખ્યું હતું કે હું સિંગલ છું અને ખુશ છું, મને કોઈ પસ્તાવો નથી. આ બન્ને પોસ્ટ કુશાલે પછી ડિલીટ કરી દીધી હતી, પણ ત્યાં સુધીમાં એ વાઇરલ થઈ ગઈ હતી.
કુશાલે પહેલાં પોસ્ટ મૂકી અને પછી ડિલીટ કરી એને પગલે સોશ્યલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે તેં શું નશામાં આ વાત પોસ્ટ કરી હતી?
કુશાલ અને શિવાંગી વચ્ચે ૧૩ વર્ષનો ડિફરન્સ છે. ૪૦ વર્ષનો કુશાલ અને ૨૭ વર્ષની શિવાંગી ‘બરસાતેં - મૌસમ પ્યાર કા’ સિરિયલના સેટ પર મળ્યાં હતાં. શિવાંગીની નવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 4’ આજે આવી રહી છે.
એક સમયે એવી વાતો હતી કે કુશાલ અને શિવાંગી જલદી લગ્ન કરી લેશે. ડેટિંગ વખતે બન્ને સાથે થાઇલૅન્ડ પણ ગયાં હતાં.