મુંબઈમાં ભારે વરસાદને કારણે કુશાલ ટંડનની રેસ્ટોરાંને થયું લાખો રૂપિયાનું નુકસાન

25 July, 2021 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષથી દેશમાં લાગુ થયેલા લૉકડાઉનને કારણે એ રેસ્ટોરાં બંધ જ હતી

કુશાલ ટંડન

કુશાલ ટંડનની મુંબઈમાં આવેલી રેસ્ટોરાં ‘આર્બર 28’ને મુશળધાર વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસતા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૧૯માં કુશાલે આ રેસ્ટોરાંની ભવ્ય રીતે શરૂઆત કરી હતી. જોકે ગયા વર્ષથી દેશમાં લાગુ થયેલા લૉકડાઉનને કારણે એ બંધ જ હતી. રેસ્ટોરાંને થયેલા નુકસાનને લઈને કુશાલે કહ્યું હતું કે ‘કેટલું નુકસાન થયું છે એનો અંદાજ લગાવો મુશ્કેલ છે, પરંતુ લગભગ ૨૦-૨૫ લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. કોવિડ બાદ આમ પણ બિઝનેસ નહોતો ચાલી રહ્યો. લૉકડાઉનને કારણે બે વખત એ બંધ કરવી પડી હતી. હમણાં પણ રેસ્ટોરાં બંધ જ હતી, કેમ કે સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રાખવાની લિમિટ છે અને ૪ વાગ્યા પછી જ બિઝનેસ શરૂ થાય છે.’

entertainment news television news indian television kushal tandon