‘રેશમ કી ડોર’માં બંધાશે નિશાંત સિંહ મલકાની અને નાયરા બૅનરજી!

09 June, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ ફેમ નિશાંત મલકાની અને ‘દિવ્ય દૃષ્ટિ’ ફેમ નાયરા બૅનરજી નવા શોમાં જોડી જમાવશે

નિશાંત મલકાની, નાયરા બૅનરજી

રૂરલ એરિયાની હિટ ચૅનલ ‘દંગલ’ એની લોકપ્રિયતાને જોતાં જૂના શો સાથે નવા શો પણ લૉન્ચ કરી રહી છે. દંગલે અત્યાર સુધી ‘રંજૂ કી બેટિયાં’, ‘ક્રાઇમ અલર્ટ’, ‘અય મેરે હમસફર’, ‘પ્રેમ બંધન’ જેવા ઓરિજિનલ શો લૉન્ચ કર્યા છે. જોકે છવિ પાંડે-મનીત જૌરાના શો ‘પ્રેમ બંધન’ને કોરોના ઇફેક્ટ નડતાં તે ટૂંક સમયમાં બંધ થવાનાં એંધાણ છે અને અન્ય એક નવો શો ‘રેશમ કી ડોર’ રિલીઝ થવાનો છે જેને ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી 2’ના મેકર્સ બનાવી રહ્યા છે. જોકે આ શોનું કામચલાઉ ટાઇટલ છે.

‘રેશમ કી ડોર’ના નિર્માતા ઉપરાંત કલાકારો પણ જાણીતા છે. ‘મિલે જબ હમ તુમ’, ‘સ્વરાગિની’, ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ ફેમ નિશાંત સિંહ મલકાની ‘રેશમ કી ડોર’માં લીડ રોલ ભજવવાનો છે. તો ‘દિવ્ય દૃષ્ટિ’, ‘એક્ઝક્યુઝ મી મૅડમ’ જેવા ટીવી-શો તેમ જ સાઉથની ફિલ્મોની અભિનેત્રી નાયરા બૅનરજી પહેલી વખત નિશાંત સિંહ મલકાની સાથે જોડી જમાવશે. આ ઉપરાંત, સંચિતા બૅનરજી, માનસી પુરોહિત, સક્ષમ શર્મા, હાર્દિકા શર્મા વગેરે પણ શોમાં મહત્ત્વના રોલમાં છે.

entertainment news television news indian television tv show