ઓછો સ્ક્રીન-ટાઇમ અને ઓછી લાઇન્સને કારણે પંડ્યા સ્ટોરને અલવિદા કહી મેઘા શર્માએ

17 April, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ તેણે ‘બાલ ક્રિષ્ના’ અને ‘મહાકાલી-અંત હી આરંભ હૈ’માં કામ કર્યું હતું.

મેઘા શર્મા

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’માં છબીલીના રોલમાં જોવા મળેલી મેઘા શર્માએ આ શોને બાય-બાય કહી દીધું છે. તેનું કહેવું છે કે તેને ઓછો સ્ક્રીન-ટાઇમ અને ઓછી લાઇન્સ મળતી હોવાથી તેને આ શોમાંથી હટવું પડ્યું હતું. અગાઉ તેણે ‘બાલ ક્રિષ્ના’ અને ‘મહાકાલી-અંત હી આરંભ હૈ’માં કામ કર્યું હતું. ‘પંડ્યા સ્ટોર’ છોડવા વિશે મેઘા શર્મા કહે છે, ‘હું ૯-૧૦ મહિનાથી આ શો સાથે જોડાયેલી હતી. શરૂઆતના ચાર મહિના મને આ શોમાં ખૂબ મજા આવી હતી. બાદમાં વસ્તુસ્થિતિ રિપીટ થવા માંડી, મારું કૅરૅક્ટર પણ આગળ નહોતું વધી રહ્યું. મને વધુ સ્ક્રીન-ટાઇમ નહોતો મળતો. એથી મને લાગતું હતું કે આ શોમાંથી હટી જવું જોઈએ. મને ભાગ્યે જ સ્ક્રીન-ટાઇમ અને લાઇન્સ મળતાં હતાં. મેં ખૂબ વિચાર કર્યો. મને જ્યારે એહસાસ થયો કે મને વધુ તક નથી મળી રહી તો મારે આ ફેંસલો લેવો પડ્યો. મારા માટે આ અઘરો નિર્ણય હતો, કારણ કે ટીમ સાથે કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. એ બધા ગ્રેટ હતા. જોકે એક ઍક્ટર તરીકે મને પર્ફોર્મ કરવાની તક જોઈતી હતી. એથી જ્યારે આવી તકો નહોતી મળતી તો મારે આગળ વધવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. હું અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું શોધતી હોવાથી ભવિષ્યમાં મારા માટે શું લખાયેલું છે એ હવે જોવું રહ્યું.’

entertainment news television news