‘બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળશે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ

24 September, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેટ પર બધા અમારી સાથે ખૂબ જ સારું વર્તન કરી રહ્યાં હતાં, ખાસ કરીને નકુલ અને દિશા. આ સેલિબ્રેશનનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે.

‘બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળશે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ

‘ઇન્ડિયન આઇડલ 12’નો વિજેતા પવનદીપ રાજન અને ફર્સ્ટટ રનર અપ અરુણિતા કાંજીલાલ હવે ‘બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળશે. રામ એટલે કે નકુલ મેહતા અને પ્રિયા એટલે કે દિશા પરમાર લગ્ન કરી રહ્યાં છે આથી તેઓ આ લગ્નમાં સંગીત સંધ્યામાં લોકોને એન્ટરટેઇન કરશે. તેઓ લગ્ન કરી રહ્યાં છે ત્યારે ધમાકેદાર પર્ફોર્મન્સ આપવા માટે પવનદીપ અને અરુણિતાને બોલાવવામાં આવ્યાં છે. આ વિશે પવનદીપે કહ્યું હતું કે ‘મારે ‘બડે અચ્છે લગતે હૈં 2’માં પર્ફોર્મન્સ આપવાનો છે એ જ્યારે મને જણાવવામાં આવ્યું ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. રામ અને પ્રિયાને તમામ લોકો પસંદ કરી રહ્યા છે. અમે જ્યારે સેટ પર ગયાં હતાં ત્યારે અમને એવું જ લાગ્યું હતું અમે તેમને પહેલેથી ઓળખીએ છીએ. સેટ પર બધા અમારી સાથે ખૂબ જ સારું વર્તન કરી રહ્યાં હતાં, ખાસ કરીને નકુલ અને દિશા. આ સેલિબ્રેશનનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે.’
આ પર્ફોર્મન્સ વિશે અરુણિતાએ કહ્યું હતું કે ‘મારા ફેવરિટ શોમાંનો એક ‘બડે અચ્છે લગતે હૈં’ છે. લગ્નને લઈને જે પણ હોય એ દરેક વસ્તુ મને ખૂબ જ પસંદ છે. આ શોના સ્પેશ્યલ ઓકેઝનમાં હું ભાગ લઈ રહી છું ત્યારે તમે મારું એક્સાઇટમેન્ટ લેવલ ઇમૅજિન કરી શકો છો. સેટ પર લગ્નને લઈને જે વાઇબ હતા એને અમે ખૂબ જ એન્જૉય કર્યાં છે. આશા રાખું છું કે રામ અને પ્રિયાનાં લગ્નને દર્શકો પણ એન્જૉય કરશે.’

television news indian television entertainment news