05 August, 2021 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત સુચંતી
રોહિત સુચંતીએ ‘ભાગ્યલક્ષ્મી’ માટે એક મહિનામાં ૭ કિલો વજન ઉતાર્યું હતું. ઝી ટીવી પર આવતી સિરિયલમાં ઐશ્વર્યા ખરે પણ જોવા મળશે. આ શોમાં રોહિત યંગ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રિશી ઑબેરૉયના રોલમાં જોવા મળી રહ્યો છે. પોતાની આ જર્ની વિશે રોહિત સુચંતીએ કહ્યું હતું કે ‘હું થોડો અનફિટ હતો અને મારે ઝડપથી શેપમાં આવવાનું હતું. આ રોલ માટે મારે ૭ કિલો વજન એક મહિનાની અંદર ઉતારવાનું હતું. મેં જ્યારે ઑડિશન આપ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીનો મેં જે રોલ ભજવ્યો છે ત્યાં સુધીમાં મારામાં ખૂબ પરિવર્તન આવ્યું છે.’
વજન ઘટાડવા વિશે રોહિતે કહ્યું હતું કે ‘હું દરરોજ ૩ કલાક વર્કઆઉટ કરતો હતો. વહેલી સવારે હું કાર્ડિયો એક્સરસાઇઝ જેવી કે સાઇક્લિંગ અથવા રનિંગ કરતો હતો. બપોરે કાં તો સાંજે વેઇટ ટ્રેઇનિંગ કરતો હતો. એના કારણે મારામાં જે પણ અતિરિક્ત વજન હતું એ ઘટાડવામાં મદદ મળી હતી. મેં સ્ટ્રિક્ટ હાઈ પ્રોટીન ડાયટની સાથે સમયાંતરે હું ૧૬ કલાકનો ઉપવાસ પણ રાખતો હતો. એથી પણ મને ઘણી મદદ મળી હતી.’