‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’નો અંત આવશે?

24 October, 2021 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ લીડ રોલમાં છે

શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ

‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’ પર પૂર્ણવિરામ લાગવાની શક્યતા છે. આ શોમાં શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ લીડ રોલમાં છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે એરિકા આ શોને બાય-બાય કરી દેવાની છે. જોકે તેણે હજી સુધી એ વિશે કોઈ માહિતી નથી આપી. એવામાં વાત વહેતી થઈ છે કે આ શો બંધ થવાનો છે. આ શોનાં નિકટનાં સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ મહિનાના અંત સુધી સિરિયલ બંધ થવાની છે. આ સીઝન ખૂબ ઓછા સમય માટે જ ચાલી હતી. શાહિર પણ મ્યુઝિક વિડિયો અને અન્ય કમિટમેન્ટ્સને કારણે બિઝી છે. બીજી તરફ એરિકાનું શેડ્યુલ પણ વ્યસ્ત છે. આ શોની પહેલી બે સીઝને લોકોને ઇમોશનલી જોડ્યા હતા. પબ્લિક ડિમાન્ડ પર જ આ શો શરૂ કરવામાં આવ્યો હતો. શોના ઍક્ટર્સ પણ પરસ્પર મજબૂત સંબંધ ધરાવે છે. શોમાં શાહિરની મમ્મીનો રોલ ભજવનાર સુપ્રિયા પિળગાવકરને રિયલ લાઇફમાં પણ તે મા કહીને જ બોલાવે છે. હવે એ જોવું રહ્યું કે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઃ નયી કહાની’ને કયા રંગ સાથે અંત આપવામાં આવે છે.

entertainment news indian television television news tv show