ઉદિતે કદી ખેતી નથી કરી, પરંતુ ટુવાલમાં ફરવું તેને ગમે છે : કુમાર સાનુ

22 September, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ બન્ને ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા

ઉદિત નારાયણ અને કુમાર સાનુ

ઉદિત નારાયણને આજે પણ ઘરમાં ટુવાલમાં ફરવું ગમે છે એના પર કુમાર સાનુએ ટિખળ કરી હતી. તાજેતરમાં જ તે કુમાર સાનુ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યો હતો. એ દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે તેના દીકરા આદિત્ય નારાયણનાં લગ્ન શ્વેતા અગરવાલ સાથે થયા બાદ આજે પણ તે ઘરમાં ટુવાલમાં જ ફરે છે? એનો જવાબ આપતાં ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘હું આજે પણ ઘરમાં ટુવાલ જ પહેરીને ફરું છું. હું ખેડૂતનો દીકરો છું. આ ટેવ મારામાંથી કદી નહીં જાય.’

ઉદ‌િત નારાયણના આ જવાબ પર રિપ્લાય આપતાં કુમાર સાનુએ કહ્યું હતું કે ‘તે ખેડૂતનો દીકરો છે. તેને કદી પણ ખેતી ખેડતા નથી જોયો, પરંતુ ટુવાલની તેને પૂરી ખાતરી છે.’

યાદ રહે કે ઉદિત અને કુમાર બહુ સારા મિત્રો પણ છે.

entertainment news indian television television news tv show the kapil sharma show kumar sanu udit narayan kapil sharma aditya narayan