22 September, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદિત નારાયણ અને કુમાર સાનુ
ઉદિત નારાયણને આજે પણ ઘરમાં ટુવાલમાં ફરવું ગમે છે એના પર કુમાર સાનુએ ટિખળ કરી હતી. તાજેતરમાં જ તે કુમાર સાનુ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યો હતો. એ દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે તેના દીકરા આદિત્ય નારાયણનાં લગ્ન શ્વેતા અગરવાલ સાથે થયા બાદ આજે પણ તે ઘરમાં ટુવાલમાં જ ફરે છે? એનો જવાબ આપતાં ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘હું આજે પણ ઘરમાં ટુવાલ જ પહેરીને ફરું છું. હું ખેડૂતનો દીકરો છું. આ ટેવ મારામાંથી કદી નહીં જાય.’
ઉદિત નારાયણના આ જવાબ પર રિપ્લાય આપતાં કુમાર સાનુએ કહ્યું હતું કે ‘તે ખેડૂતનો દીકરો છે. તેને કદી પણ ખેતી ખેડતા નથી જોયો, પરંતુ ટુવાલની તેને પૂરી ખાતરી છે.’
યાદ રહે કે ઉદિત અને કુમાર બહુ સારા મિત્રો પણ છે.