ભાનુ ઉદય કેવી સિરિયલની અપેક્ષા રાખે છે?

27 July, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ઍક્ટરનું માનવું છે કે હવે ‘ધી એન્ડ’ સાથેની સિરિયલ જોવાનું જ ઑડિયન્સ પસંદ કરશે

ભાનુ ઉદય

સ્ટાર ટીવીના ‘રુદ્રકાલ’ શોએ એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. ‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ભાનુ ઉદય ગોસ્વામી પણ માને છે કે આ જ પ્રકારની સિરિયલનું ભવિષ્ય બ્રાઇટ છે. ભાનુ ઉદયે કહ્યું કે ‘હવેના સમયમાં જેનો અંત નક્કી છે એ વાર્તા જોવાનું ઑડિયન્સ પસંદ કરશે. મહામારીએ આખી વિચારધારા બદલી નાખી છે. હવે લોકોને રોજબરોજની વાતોમાં રસ નથી, નવું એક્સાઇટમેન્ટ જોઈએ છે અને એ એક્સાઇટમેન્ટ એન્ડ હોય એવી જ જગ્યાએ મળે.’ ભાનુ ઉદય કહે છે, ‘જો મને આ પ્રકારના રોલ ઑફર થશે તો હું ડેફિનેટલી કરીશ. મને ટાઇપકાસ્ટ થવાની કોઈ બીક નથી, પણ હા, એક વાત નક્કી છે કે વાર્તાને ધી એન્ડ હોવો જોઈએ અને એને જ વાર્તા કહેવાય.’

television news entertainment news