18 September, 2020 03:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
શરબરી દત્તા
કોલકાતાનાં જાણીતાં ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું 63ની નિધન થઈ ગયું છે. ડિઝાઇનરનું શબ 17 ડિસેમ્બર કોલકાતામાં તેમના ઘરના વૉશરૂમમાં મળ્યું છે. પીટીઆઇના સમાચાર પ્રમાણે શરબરીએ સવારે કોઇનો પણ ફોન ઉપાડ્યો નહોતો, અને સાંજે તેમનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો જેના પછી પોલીસને આ સૂચના આપવામાં આવી છે.
મૃત્યુનું કારણ હજી રહસ્ય છે. તો, પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધી લીધો છે. શરબરી દત્તાના પરિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે, ડૉક્ટરે મૃત્યુનું કારણ સ્ટ્રોક જણાવ્યું છે. પણ શબ બાથરૂમમાંથી મળ્યું છે તેથી બૉડીને પોસ્ટ મૉર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.
શરબરી દત્તા બંગાળી કવિ અજીત દત્તાની દીકરી હતી. શરબરીએ પોતાની ગ્રેજ્યુએશનની સ્ટડી પ્રેસિડેન્સી કૉલેજમાંથી કરી છે. ત્યાર પછી તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. શરબરીને હંમેશાં ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો માટે કૉલેજ પૂરી કર્યા પછી તે આ ફિલ્ડમાં કામ કરવા લાગી ગયાં હતાં. શરબરી મેલ અને ફિમેલ બન્ને માટે કપડાં ડિઝાઇન કરતાં હતાં. કોલકત્તામાં શૂન્ય નામે પોતાનું એક આઉટલેટ પણ છે. આ સિવાય શરબરીએ બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન સહિત ઘણાં સ્ટાર્સ કપડાં પણ ડિઝાઇન કર્યાં હતાં.
શરબરીનાં નિધન બાદ ઘણાં સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. બંગાળી એક્ટર રાજ ચક્રવર્તીએ લખ્યું, "શરબરી દત્તાનાં નિધનનાં સમાચાર સાંભળીને હું દંગ છું. હું ખુશનસીબ છું મેં તેમના દ્વારા ડિઝાઇન કરેલા કપડાં પહેર્યાં છે. હું આશા કરું છું કે હવે તે બહેતર જગ્યાએ હશે."