Health Funda: યુવા વયે BPની સમસ્યા થઈ રહી છે સામાન્ય! રુટિનમાં કરો આ બદલાવ

21 February, 2026 12:55 PM IST  |  Mumbai | Dr. Rishita Bochia Joshi

Health Funda: આજકાલ યુવાનોમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી છે તેના પાછળ અનેક કારણો જવાબદાર છે; જોકે, દૈનિક જીવનમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાથી કે માત્ર નજીવા ફેરફાર કરવાથી બ્લડ પ્રેશર બહુ સરળતાથી કન્ટ્રોલમાં લાવી શકાય છે

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, અત્યારે યુવાનોમાં બ્લડ પ્રેશર (Blood Pressure) શા માટે વધી રહ્યું છે? બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાના ઘરગથ્થુ ઉપાય કયા?

થોડા સમય પહેલા, બ્લડ પ્રેશર માત્ર વૃધ્ધોને જ થાય એવું મનાતું. ‘બ્લડ પ્રેશર’ની સમસ્યા માત્ર સિનિયર સિટિઝન સુધી જ સિમિત હતી. પરંતુ હવે, ધીમે ધીમે તે સમસ્યા ૩૦-૪૦ વર્ષની ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં, પરંતુ વધઘટ થતી રીડિંગ્સ વધુ ચિંતાજનક બાબત છે. બ્લડ પ્રેશર રીડિંગ્સ દિવસ દરમિયાન થોડા-થોડા કલાકમાં માપવામાં આવે તો તે સતત ઉપર-નીચે થયા કરે છે. જેનાથી ઘણા લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે અને મોટાભાગના લોકો એક જ પ્રશ્ન પૂછે છે, ઘરનું ભોજન ખાધા પછી અને તબિયતમાં સારું લાગવા છતાં આવું કેમ થઈ રહ્યું છે?! બીપીમાં વધઘટ કેમ થઈ રહી છે?!

બ્લડ પ્રેશરમાં આટલી બધી વધઘટ કેમ થાય છે?

 

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા શું કરવું?

 

આટલું રાખો ધ્યાન

 

જ્યારે તમારી દૈનિક જીવનશૈલી વધુ સંતુલિત અને સુસંગત બને છે, ત્યારે તમારું બ્લડ પ્રેશર ઘણીવાર તેની જાતે જ સ્થિર થવા લાગે છે.


(શબ્દાંકનઃ રચના જોષી)

health funda dr rishita bochia joshi health tips healthy living diet life and style lifestyle news exclusive columnists gujarati mid day rachana joshi