Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આ માત્ર દાંતની સમસ્યા નથી, હાર્ટની હેલ્થ સાથે પણ હોઈ શકે છે કનેક્શન

મોંની સફાઈમાં બેદરકારી ડેન્ટલ હેલ્થ માટે જ નહીં, હાર્ટની હેલ્થ માટે પણ જોખમ ઊભું કરી શકે છે એવો ચોંકાવનારો ખુલાસો તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યો છે ત્યારે આવું થવા પાછળનાં કારણો અને ઉપાય વિશે નિષ્ણાત પાસેથી સમજીએ

22 July, 2026 05:29 IST | Mumbai | Kajal Rampariya

કૅન્સરના દરદીઓએ ડૉક્ટરને કયા સવાલ અચૂક પૂછવા જોઈએ?

સ્તન-કૅન્સરની સારવારમાં જીવ બચાવવાની સાથે સારવાર પછીનું જીવન પણ મહત્વનું છે. સર્જરી પહેલાં શરીર, આત્મવિશ્વાસ, કામ, કસરત અને જીવનની ગુણવત્તા અંગે ડૉક્ટરને જરૂરી પ્રશ્નો પૂછવા જોઈએ.

22 July, 2026 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસામાં કાનની પાછળ સતત ખંજવાળ કેમ આવે છે?

વરસાદના ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે અને એને કારણે કાનની પાછળ અને અંદર ખંજવાળની સમસ્યા વકરે છે

21 July, 2026 05:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નોવાક જૉકોવિચના કાન પર લગાવેલી પટ્ટી હર મર્ઝ કી દવા?

આ પ્રખ્યાત ટેનિસ-પ્લેયરના કાનમાં દેખાતી નાની પટ્ટીઓ માત્ર ફૅશન નથી, એ ચાઇનીઝ ઍક્યુપંક્ચરની ઍડ્વાન્સ થેરપી છે. મસલ રિકવરીથી લઈને માનસિક શાંતિ મેળવવામાં કારગત સાબિત થતી આ થેરપી વિશે નિષ્ણાત પાસેથી વિગતવાર સમજીએ

21 July, 2026 05:48 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

કોઈક જ્યારે ગુસ્સામાં તમને કંઈ સંભળાવે ત્યારે ચૂપ થઈ જાઓ છો?

ઘણા લોકો ઝઘડા કે ટીકા વખતે તરત જવાબ આપી શકતા નથી અને પછી કલાકો બાદ યોગ્ય જવાબ યાદ આવે છે. શું આ નબળાઈ છે કે બાળપણના અનુભવની અસર? જાણો મગજની આ પ્રતિક્રિયા પાછળનું મનોવિજ્ઞાન અને આત્મવિશ્વાસ વધારવાના રસ્તાઓ.

21 July, 2026 05:33 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

દિવસભરના થાક પછી પણ તમને મગજના વિચારો ઊંઘવા નથી દેતા?

આખો દિવસ કામ કરીને શરીર લોથપોથ થઈ ગયું હોય પણ પથારીમાં પડતાં જ આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જાય છે અને મગજ વિચારોના વમળમાં અટવાઈ જાય છે. શું તમારી સાથે પણ આવું થાય છે? જાણો આ મેન્ટલ લૂપ પાછળનાં કારણો અને એને રોકવાના અસરકારક યોગિક ઉપાયો

20 July, 2026 06:13 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

હેલ્ધી રહેવું હોય તો કૂદકા મારવા લાગો

હા, કૂદવું એક બેસ્ટ એક્સરસાઇઝ છે. ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ જ્યારે તમે શરીરને હવામાં ઉછાળો છો ત્યારે શરીરના દરેકેદરેક કોષ પર એની અસર થાય છે. આજે વર્લ્ડ જમ્પ ડે છે ત્યારે જાણીએ કૂદકા મારવાના ફાયદા પાછળનું વિજ્ઞાન અને સાવચેતીનાં પગલાંઓ વિશે

20 July, 2026 05:40 IST | Mumbai | Jigisha Jain


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

પ્રતીકાત્મક તસવીર

કામની વ્યસ્તતામાં ખાવાનું સ્કિપ કરવું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય?

એક્સપર્ટ પાસેથી જાણીએ કે કામના પ્રેશરમાં કલાકો સુધી ભૂખ્યા રહેવાથી ડાયટિંગ જ થાય છે કે પછી શરીરને નુકસાન થાય છે?

10 July, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચોમાસામાં સાંધા દુખતા હોય તો જીવનશૈલીમાં થોડાક બદલાવ કરો

ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વાતાવરણનું દબાણ ઘટી જાય છે. આ ફેરફારને કારણે સાંધાની આસપાસની પેશીઓ સહેજ વિસ્તરી શકે છે જેને લીધે દુખાવો, જકડાઈ જવું અને સોજો આવી શકે છે

10 July, 2026 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અલાર્મ મૂકો છો, પણ સવારે વાગે ત્યારે સ્નૂઝ કરીને સૂઈ જાઓ છો?

સવારે પાંચ મિનિટ વધુ સૂવા માટે અલાર્મ બંધ કરવાની આદત ભલે સુખદ લાગે; પણ એ આદત હાનિકારક છે. સંશોધન કહે છે કે અલાર્મ સ્નૂઝ કરવાની આદતથી દિવસભર થાક, આળસ અને બ્રેઇન ફૉગ થવાની સંભાવના વધે છે

09 July, 2026 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK