Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગણપતિ-દર્શનના નાઇટઆઉટમાં પેટ અને એનર્જીનું બૅલૅન્સ બગાડતા નહીં

છેલ્લાં કેટલાંક વર્ષોથી બાપ્પાના ઉત્સવમાં હવે ભાવિકો રાતના ઉજાગરા કરીને ગણપતિ પંડાલોમાં દર્શન કરવા નીકળી પડે છે. ભક્તિના આ માહોલમાં દર્શનની સાથે સ્ટ્રીટ-ફૂડની જયાફત પણ માણવાની મજા હોય છે. જોકે આ નાઇટઆઉટ તમારો ડાયટ-પ્લાન બગાડી શકે છે

17 September, 2026 09:15 IST | Mumbai | Heena Patel

બધું જ હોવા છતાં કંઈક ખૂટે છે? એવી લાગણી આવે તો શું કરવું?

આ ફીલિંગ એક પ્રકારનું લાઇફસ્ટાઇલ હૅન્ગઓવર હોઈ શકે છે. બીજાના જીવનની ચમક જોઈને પોતાનું જીવન ફિક્કું લાગવા માંડે છે. સવાલ એ છે કે આપણે કેટલામાં અને શામાં ખુશ છીએ? સોશ્યલ મીડિયા સરખામણી આપણને દેખાદેખીની દોડમાં ધકેલે છે.

17 September, 2026 09:02 IST | Mumbai | Kajal Rampariya

અવાજ નુકસાનકારક નથી, પણ એકસાથે બહુબધાં લાઉડસ્પીકર વાગે ત્યારે હાનિ થઈ શકે છે

તહેવારોમાં વધુ પડતા લાઉડસ્પીકરના અવાજથી માથાનો દુખાવો, બેચેની, ઊંઘમાં ખલેલ અને છાતીમાં ગભરામણ જેવી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, હૃદયરોગ અને હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકોએ અતિશય ઘોંઘાટથી બચવું જોઈએ.

16 September, 2026 06:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશજીનાં દર્શન કરવા લાંબી લાઇનોમાં ઊભા રહેવાના હો તો આટલું વાંચી લેજો

કલાકો સુધી દર્શનની લાઇનમાં ઊભા રહેવું શરીર માટે થકવી નાખનારું બની શકે છે. પગમાં સોજો, દુખાવોથી બચવા માટે લાઇનમાં ઊભા રહીને કેવી મૂવમેન્ટ કરવી, વડીલોએ કઈ સાવચેતી રાખવી અને લાંબો સમય ઊભા રહ્યા પછી શરીરને કેવી રીતે રિકવર કરવું એ જાણીએ

16 September, 2026 06:36 IST | Mumbai | Heena Patel


અન્ય આર્ટિકલ્સ

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

Health Funda: પાતળા હોવું એટલે ફિટ હોવું? જો તમે પણ એવું માનો છો તો ભૂલ કરો છો

Health Funda: સામાન્ય રીતે પાતળું હોવું કે ઓછું વજન હોવું એ જ સારા સ્વાસ્થ્યનો માપદંડ ગણાય છે, પરંતુ સ્કીની માત્ર પાતળા હોવું અને ફિટ (સ્વસ્થ) હોવું એ બંને વચ્ચે મોટો તફાવત છે. આરોગ્ય પર તેની કેવી અસર થાય છે તે જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી

12 September, 2026 09:54 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
સ્વસ્થ શરીરના ૧૦ અજીબ સંકેતો

સ્વસ્થ શરીરના ૧૦ અજીબ સંકેતો, જેને આપણે ઘણી વાર સમસ્યા સમજીએ છીએ

ઠંડીમાં નાકમાંથી પાણી આવવું, પેટમાં અવાજ થવો જેવી બાબતોને આપણે અસ્વસ્થતા માનીએ છીએ. જોકે શરીરમાં થતા આવા કેટલાક સામાન્ય ફેરફારો એની કુદરતી પ્રક્રિયાનો ભાગ હોય છે. જાણો એવા ૧૦ અજીબ પણ સકારાત્મક સંકેતો જે તમારા શરીરની તંદુરસ્ત કામગીરી દર્શાવે છે

11 September, 2026 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હળદર

તમારી હળદરમાં ભેળસેળ છે?

રસોડામાં પડેલા મસાલા-બૉક્સમાં હળદર ન હોય તો આપણે એ રસોઈને ઇમેજિન પણ નથી કરી શકતા. રસોઈ અને ઔષધિઓમાં વપરાતી હળદરમાં સીસાની ભેળસેળ હોવાનો અહેવાલ બહાર આવ્યા બાદ આ ઝેરી રસાયણથી આરોગ્યને શું નુકસાન થાય અને એનાથી કેવી રીતે બચી શકાય એ જાણો

11 September, 2026 01:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

શિમલા મરચાં

લાલ કે પીળાં શિમલા મરચાં કયાં વધારે હેલ્ધી?

લાલ અને પીળાં બન્ને શિમલા મરચાં પોષક તત્ત્વોથી ભરપૂર છે, પરંતુ બન્નેની પોષક પ્રોફાઇલમાં થોડો તફાવત છે. જાણો કયાં મરચાં કયા ફાયદા માટે વધુ યોગ્ય છે અને એને પકવવાની સાચી રીત કઈ છે

08 September, 2026 01:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓડકાર કેમ આવે છે?

ઓડકાર કેમ આવે છે?

જમ્યા પછી એકાદ ઓડકાર સામાન્ય છે, પણ વારંવાર ઓડકાર આવવો શું કોઈ તકલીફ છે કે માત્ર ટેવ? નવજાત શિશુથી લઈને વડીલો સુધી ઓડકાર કેમ આવે છે અને એને કેવી રીતે નિયંત્રિત કરવા એ જાણીએ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ પાસેથી

07 September, 2026 04:13 IST | Mumbai | Heena Patel
પ્રતિકાત્મક તસવીર - એઆઈ

લક્ષણો ન હોય તો પણ હોઈ શકે STIનો ચેપ, સમયસર ટેસ્ટિંગ કેમ જરૂરી?

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે કે જાતીય સંપર્કથી ફેલાતા ચેપ (STI) અંગે સૌથી સામાન્ય ગેરસમજ એ છે કે ચેપ લાગ્યો હોય તો શરીરમાં તરત કોઈ ને કોઈ લક્ષણ ચોક્કસ દેખાય. વાસ્તવિકતા તેનાથી વિપરીત છે.

05 September, 2026 09:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK