Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Health Funda: નાભિમાં તેલ લગાવવાની સદીઓ પુરાણી ટ્રીકનો હેલ્થ સાથે છે સીધો સંબંધ

Health Funda: ગ્લોઇંગ સ્કીન, સારું પાચનથી લઈને સરસ ઊંઘ સુધીના અનેક દાવાઓ સાથે `નાભિમાં તેલ લગાવવાની` પદ્ધતિ આજે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે ત્યારે આ પદ્ધતિ પાછળ વિજ્ઞાન ખરેખર શું કહે છે તે જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી

01 August, 2026 12:55 IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

વારંવાર બહુ ગળ્યું ખાવાનું ક્રેવિંગ થાય છે? તો એ ખરાબ પાચનને કારણે પણ હોઈ શકે છે

જો તમને શુગર-ક્રેવિંગ્સ થતું હોય તો એની પાછળ તમારી કબજિયાત જવાબદાર હોઈ શકે છે. એટલે જરૂરી છે કે ક્રેવિંગ્સને કાબૂમાં રાખવા મન મારતા રહેવાને બદલે પહેલાં તમે તમારું પાચન ઠીક કરો. જો કબજિયાત જશે તો ક્રેવિંગ્સ આપોઆપ જતું રહેશે

30 July, 2026 09:22 IST | Mumbai | Jigisha Jain

ઉંમરની સાથે આવતા સંધિવા માટે નિયમિત એક્સરસાઇઝ અકસીર ઇલાજ સાબિત થાય છે

આર્થ્રાઇટિસ એટલે કે સંધિવામાં સમયસર નિદાન, યોગ્ય કસરત અને ફિઝિયોથેરપીથી દુખાવો ઘટાડી શકાય છે. નિષ્ણાત જણાવે છે કે નિયમિત એક્સરસાઇઝથી રોગની ગતિ ધીમી કરી સાંધાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે.

30 July, 2026 08:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પેટનો અસહ્ય દુખાવો સામાન્ય ગૅસ છે કે પૅન્ક્રિએટિક અટૅક?

અત્યાર સુધી એવું મનાતું હતું કે દારૂ પીનારાઓને અને ગૉલબ્લૅડરમાં પથરી હોય તો જ સ્વાદુપિંડમાં સોજાને કારણે થતી સમસ્યા દેખાય, પરંતુ હવે લક્ષણો બદલાઈ ગયાં છે. એનાં લક્ષણોને સમજીને લાંબા ગાળાની સારવાર કેમ જરૂરી છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ

29 July, 2026 08:35 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને  ખબર પણ નહીં પડે

લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને ખબર પણ નહીં પડે

લિવર શરીરને ડીટૉક્સ કરતું સૌથી મહત્ત્વનું અંગ છે, પરંતુ હેપેટાઇટિસ અને અન્ય લિવરની બીમારીઓ શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો આપતી નથી. વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે જાણો સમયસર સ્ક્રીનિંગ, તપાસ અને જાગૃતિ દ્વારા ગંભીર લિવર ડેમેજથી કેવી રીતે બચી શકાય.

28 July, 2026 05:32 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

બાળકોની માનસિક હેલ્થ સારી નહીં હોય તો તેમનો શારીરિક વિકાસ પણ રૂંધાશે

આજના બાળકોમાં વધતા સ્ટ્રેસ, સ્પર્ધા અને માનસિક તણાવની સીધી અસર તેમના શારીરિક વિકાસ, ઇમ્યુનિટી, આત્મવિશ્વાસ અને સામાજિક વિકાસ પર પડે છે. નિષ્ણાતો કહે છે કે સમયસર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

28 July, 2026 05:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑઇલ-પુલિંગ માટે કયું તેલ વાપરવું શ્રેષ્ઠ છે? નારિયેળનું, તલનું કે સરસવનું?

ઑઇલ-પુલિંગ માટે કયું તેલ વાપરવું શ્રેષ્ઠ છે? નારિયેળનું, તલનું કે સરસવનું?

ઓઇલ પુલિંગ ઓરલ હાઇજીન સુધારવાની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ છે. નારિયેળ, તલ અને સરસવના તેલના અલગ-અલગ ફાયદા શું છે અને કઈ સમસ્યામાં કયું તેલ વધુ અસરકારક છે તે જાણો.

27 July, 2026 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં કાનની પાછળ સતત ખંજવાળ કેમ આવે છે?

વરસાદના ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે અને એને કારણે કાનની પાછળ અને અંદર ખંજવાળની સમસ્યા વકરે છે

21 July, 2026 05:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

નોવાક જૉકોવિચના કાન પર લગાવેલી પટ્ટી હર મર્ઝ કી દવા?

આ પ્રખ્યાત ટેનિસ-પ્લેયરના કાનમાં દેખાતી નાની પટ્ટીઓ માત્ર ફૅશન નથી, એ ચાઇનીઝ ઍક્યુપંક્ચરની ઍડ્વાન્સ થેરપી છે. મસલ રિકવરીથી લઈને માનસિક શાંતિ મેળવવામાં કારગત સાબિત થતી આ થેરપી વિશે નિષ્ણાત પાસેથી વિગતવાર સમજીએ

21 July, 2026 05:48 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

ડિલિવરી પછી શા માટે વજાઇનલ ઇન્ફેકશન થવાનું જોખમ વધે છે?

ડિલિવરી પછી મહિલાઓમાં પોસ્ટપાર્ટમ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. નૉર્મલ કે સિઝેરિયન ડિલિવરી બાદ કયા પ્રકારના ઇન્ફેક્શન થઈ શકે, તેના લક્ષણો, કારણો, જોખમો અને સમયસર સારવાર તથા યોગ્ય કાળજી દ્વારા કેવી રીતે બચી શકાય તે અંગે નિષ્ણાતની મહત્વપૂર્ણ માહિતી.

21 July, 2026 05:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK