Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સવારના નાસ્તામાં તમે તો આ ભૂલો નથી કરતાને?

તમારું મૉર્નિંગ રૂટીન તમારા પેટની હેલ્થ કેવી રહેશે એ નક્કી કરે છે. ખાલી પેટે જે હાથમાં આવે એ ખાવા કરતાં કયાં પીણાં અને નાસ્તો બેસ્ટ છે અને કઈ વસ્તુઓ હાનિકારક છે એ જાણી લો

19 June, 2026 01:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ કરવું જરૂરી છે વજન ઘટાડવા માટે

મેટાબોલિઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રક્રિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ થાય છે

18 June, 2026 12:58 IST | Mumbai | Yogita Goradia

નિકોટિન ફોકસ સુધારે છે એવા માર્કેટિંગને સાચું ન માની લેતા

સોશ્યલ મીડિયા પર જાતે બની બેઠેલા વેલનેસ ઇન્ફ્લુઅન્સર્સ એવો દાવો કરી રહ્યા છે કે નિકોટિન યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક કાર્યક્ષમતા સુધારે છે. જોકે બંધાણી બનાવી દેતા આ કેમિકલની ચુંગાલમાં ફસાવા જેવું નથી.

18 June, 2026 12:51 IST | Mumbai | Heena Patel

માત્ર મસલ્સ જ નહીં, મગજની ક્ષમતા પણ વધારશે ક્રીએટિન

માત્ર જિમમાં જતા ફિટનેસ-ફ્રીક્સ અને ઍથ્લીટ્સનું ફેવરિટ રહેલું ક્રીએટિન બ્રેઇનની હેલ્થને સુધારે છે એવા દાવા થઈ રહ્યા છે ત્યારે સામાન્ય વ્યક્તિ આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરી શકે કે નહીં એ એક્સપર્ટ પાસેથી જાણીએ

17 June, 2026 02:38 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જો તમને વારસાગત રોગ થવાની શક્યતા છે તો એ માટે તમે શું કરશો?

વંશાનુગત રોગને આપણે રોકી શકીએ ખરા? આનો જવાબ દરેક વ્યક્તિએ જુદો હોઈ શકે છે, કારણ કે તમે આ રોગને નહીં આવવા દેવા માટે કેટલા પ્રતિબદ્ધ છો એના પર એ નિર્ભર કરે છે

17 June, 2026 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અશ્વગંધાનાં મૂળ જ ખરું ઔષધ છે, પાન નહીં

આયુર્વેદમાં બહુ છૂટથી વપરાતી અને અનેક રોગોમાં મૅજિક જેવું કામ કરતી આ વનસ્પતિ માટે તાજેતરમાં FSSAIએ ચોક્કસ ધારાધોરણો બહાર પાડ્યાં છે. હવે અશ્વગંધાનાં પાન અને એના અર્ક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આવું કરવાનું કારણ શું? જાણીએ નિષ્ણાત પાસેથી

16 June, 2026 12:36 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણાં બાળકોને ડિપ્રેશન જેવી તકલીફ ન આવે એ માટે આપણે શું કરી શકીએ?

રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું?

16 June, 2026 12:30 IST | Mumbai | Kinjal Pandya


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જો વજન વધારવું હોય તો આયુર્વેદ મદદ કરી શકે છે

જેમ વજન ઘટાડવું હોય તો હેલ્ધી રસ્તો અપનાવવાનો હોય એમ વજન વધારવું હોય તો પણ હેલ્ધી રીતે જ વજન વધારવું જોઈએ

09 June, 2026 01:39 IST | Mumbai | Dr. Sanajy Chhajed
પ્રતીકાત્મક તસવીર

વેઇટલૉસ અને વર્કઆઉટ વખતે ઉત્તમ સાથી છે લિચી

બફારામાં ગળ્યું કે ઠંડું ખાવાની ક્રેવિંગ વધતી હોય છે ત્યારે આઇસક્રીમ કે ડેઝર્ટ્સ ખાવાને બદલે લિચી નૅચરલ રિપ્લેસમેન્ટ છે. આ નાનકડું ફળ સ્વીટ ખાવાની ઇચ્છાને શાંત કરવાની સાથે હેલ્થ, વેલનેસ અને ફિટનેસના સ્તરે શરીરને ફાયદો આપે છે

09 June, 2026 01:32 IST | Mumbai | Kajal Rampariya
૩૯ અઠવાડિયાંની પ્રેગ્નન્સીમાં આવાં ઍડ્વાન્સ યોગાસન કરાય?

૩૯ અઠવાડિયાંની પ્રેગ્નન્સીમાં આવાં ઍડ્વાન્સ યોગાસન કરાય?

ના, અદ્ભુત અને મેસ્મરાઇઝિંગ લાગતી આ તસવીરો જોવામાં જેટલી સરળ લાગે છે એને કોઈએ એમ જ દોહરાવવા જેવી નથી. બૅન્ગલોરનાં શશી પ્રભા દ્વિવેદી નામનાં યોગટીચરની આ તસવીરો દરેક પ્રેગ્નન્ટ મહિલાએ અનુકરણ કરવા માટે નથી

07 June, 2026 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK