અમદાવાદ અકસ્માતનું કોકડું ઉકેલાયું: પિતાની હત્યાનો બદલો લેવા આરોપીએ જોઈ 22 વર્ષની રાહ

05 October, 2024 09:36 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Ahmedabad Road Accident: ગોપાલના પિતા હરિ સિંહ ભાટીની 2002 માં નખત અને તેના ચાર ભાઈઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ટ્રક દ્વારા હત્યા કરવામાં આવી હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતમાં પિતાની હત્યાનો બદલો લેવાની એક એવી ઘટના સામે આવી છે જેને વાંચીને તમને એવું લાગશે કે આ કોઈ બૉલિવૂડ ફિલ્મની વાર્તા છે. જોકે એવું નથી આ ઘટના હકીકતમાં બની છે. જ્યાં એક 30 વર્ષના વ્યક્તિએ પિતાની હત્યા કરનાર આરોપીને મારવા માટે 22 વર્ષની રાહ જોઈ હતી. અમદાવાદના (Ahmedabad Road Accident) બોડકદેવમાં આ ઘટના બની હતી. આરોપી આઠ વર્ષનો હતો ત્યારે તેના પિતાની પણ આવી જ રીતે કચડીને હત્યા કરવામાં આવી હતી. જેનો બદલો લેવા આરોપીએ તેના પિતાના હત્યારાની પણ ટ્રક વડે કચડીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનામાં પીડિતા 50 વર્ષના નખત સિંહ ભાટી, મૂળ જેસલમેરનો, થલતેજમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ (Ahmedabad Road Accident) કરતો હતો. મંગળવારે બપોરે સાયકલ ચલાવતી વખતે ગોપાલ દ્વારા ચલાવવામાં આવતી પીકઅપ ટ્રકે નખતને ટક્કર મારી હતી. શરૂઆતમાં, આ ઘટના અકસ્માત હોવાનું જણાતું હતું, પરંતુ ટૂંક સમયમાં તપાસમાં બહાર આવ્યું કે તે બદલો લેવાનું ગણતરીપૂર્વકનું કૃત્ય હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો (Ahmedabad Road Accident) ગોપાલ દિવસના અજવાળામાં જાણી જોઈને નખતને પાછળથી ટક્કર મારતો જોવા મલીર રહ્યો છે. પોલીસ અહેવાલો મુજબ ગોપાલના પિતા હરિ સિંહ ભાટીની 2002 માં નખત અને તેના ચાર ભાઈઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ટ્રક દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેઓને પાછળથી આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ગુના માટે સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ઘટનાના એક અઠવાડિયા પહેલા, ગોપાલે આઠ લાખ રૂપિયામાં પીકઅપ ટ્રક ખરીદી હતી, જેમાં રૂ. 1.25 લાખનું ડાઉન પેમેન્ટ કર્યું હતું અને બાકીની રકમ બેન્ક લોન દ્વારા ધિરાણ કરી હતી. મોબાઈલ રેકોર્ડ્સ દર્શાવે છે કે ગોપાલ હુમલાની શરૂઆતના અઠવાડિયામાં ઘણી વખત નખતના ઘરે ગયો હતો, જે સાવચેતીપૂર્વક આયોજન સૂચવે છે. અકસ્માત કર્યા (Ahmedabad Road Accident) બાદ ગોપાલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો. શરૂઆતમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ દ્વારા મૃત્યુનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને બાદ હત્યાના આરોપો હોવાની જાણ થઈ હતી. ગોપાલને બોડકદેવ પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે વિધિવત હત્યાનો કેસ નોંધવામાં આવશે.

પોલીસ અધિકારીએ કહ્યું કે બન્ને પરિવારો અને તેઓ જે ગામો સાથે સંબંધ ધરાવે છે તેઓમાં દુશ્મનાવટનો લાંબો ઈતિહાસ છે. નખત બડોડા ગામનો (Ahmedabad Road Accident) હતો અને ગોપાલ જેસલમેરના અજાસર ગામનો હતો. ગામડાઓ વચ્ચે અણબનાવ ઊંડો છે. તે બે ગામોના રહેવાસીઓ એકબીજા સાથે વાત કરતા નથી. સમાધાન માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તે બધા નિરર્થક સાબિત થયા છે.

ahmedabad murder case road accident gujarat news Gujarat Crime Crime News