Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એક ક્રાન્તિકારી શિક્ષક ધારે તો બાળકોને કેવું નવજીવન આપી શકે એ અહીં જોઈ લો

તોફાન કરતાં બાળકોને અનુલોમ-વિલોમ પ્રાણાયામની સજા આપતા પાલિતાણાના આ શિક્ષકે કંઈકેટલાય ઇનોવેટિવ પ્રયોગો કર્યા છે

19 July, 2026 01:52 IST | Mumbai | Ruchita Shah

ગુજરાતના આગાહીસમ્રાટ અંબાલાલકાકા

અંબારામ પટેલને લોકો પ્રેમથી અંબાલાલકાકાના હુલામણા નામથી બોલાવે છે અને ઓળખે છે. અંબાલાલકાકાએ કંઈ અમસ્તી જ આગાહી શરૂ નહોતી કરી દીધી.

19 July, 2026 11:48 IST | Ahmedabad | Shailesh Nayak

કચ્છના બાળકલાકારનો ગ્લોબલ હનુમાનકૂદકો

માત્ર પોણાબે વર્ષની ઉંમરે મ્યુઝિક આલબમ રિલીઝ કરીને વિશ્વના સૌથી નાની વયના પુરુષ ગાયકનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર આ બાળકલાકાર હવે ઇન્ટરનૅશનલ લેવલે ધૂમ મચાવી રહ્યો છે

19 July, 2026 11:42 IST | Mumbai | Varsha Chitaliya

ગુજરાત: અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફૅક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના મોત

જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે વિસ્ફોટના સમાચાર મળતાં જ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે રાહત અને શોધ કામગીરી ચાલુ છે.

18 July, 2026 07:46 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

મનન એસ. ભટ્ટ

હું નવાનગરી! વાત ભારતની...

લેખક નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી અને સૈન્ય ઈતિહાસકાર છે.

17 July, 2026 04:09 IST | Mumbai | Bespoke Stories Studio
પ્રતીકાત્મક તસવીર

અષાઢી બીજે કચ્છની ધરા ધણધણી : ૩ મિનિટમાં ધરતીકંપના બે આંચકાથી ફફડાટ

કચ્છ જિલ્લામાં અષાઢી બીજના મહાપર્વની ઉજવણી વચ્ચે ગુરુવારે બપોરે ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. 

17 July, 2026 07:13 IST | Kutch | Gujarati Mid-day Correspondent
Ajay`s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે `હેપ્પી વાલી ફીલિંગ`

Ajay`s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે `હેપ્પી વાલી ફીલિંગ`

Ajay`s Cafe એ નવસારીના ધોળાપીપળા ખાતે તેની રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 300 થી વધુ સહભાગીઓ અને પરિવારના સભ્યો એકત્રિત થયા હતા.

16 July, 2026 06:02 IST | Navsari | Bespoke Stories Studio


ફોટો ગેલેરી

નગરના નાથ જગન્નાથજીને વધાવ્યા અક્ષત કુમકુમથી અમદાવાદી ભક્તજનોએ

અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.
17 July, 2026 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઊંઝા વરિયાળી, ઊંઝા જીરું

ઊંઝાનાં વરિયાળી, જીરુંને મળ્યો GI ટૅગ

ઊંઝાની આ આગવી ખેતપેદાશને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મળી કાયદેસરની ઓળખ: ખેડૂતો અને વેપારીઓને માટે ખૂલશે સમૃદ્ધિનાં નવાં દ્વાર

14 July, 2026 02:27 IST | Unjha | Gujarati Mid-day Correspondent
અંબાલાલ પટેલ

અંબાલાલકાકા હવે નહીં કરે કોઈ આગાહી

વિજ્ઞાન જાથાએ લોકોને આવા વરતારા પર ભરોસો ન કરવાની અપીલ કરી, સામે પક્ષે ખેડૂતોએ અંબાલાલકાકાને આગાહી બંધ નહીં કરવા કરી અપીલ

14 July, 2026 10:36 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
 રથયાત્રાના રૂટ પર પોલીસે ફુટ પૅટ્રોલિંગ કર્યું હતું.

અમદાવાદની રથયાત્રામાં જડબેસલાક સિક્યૉરિટી

૩૧,૦૦૦થી વધુ પોલીસો રહેશે તહેનાત : ૬૫ ડ્રોન, ૨૮૦૦ બૉડીવૉર્ન કૅમેરા, ૨૪૦ ધાબા પૉઇન્ટ સહિતનો પોલીસ-કાફલો રાખશે નજર: આજથી રથયાત્રા લોકોત્સવનો મંદિરમાં થશે શુભારંભ : RAF મંદિરમાં થઈ તહેનાત : રથયાત્રાના રૂટ પર પોલીસે યોજ્યું ફુટ પૅટ્રોલિંગ

14 July, 2026 09:59 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK