Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અમદાવાદમાં ખાબક્યો ૮ ઇંચથી વધુ વરસાદ શહેર થયું જળબંબાકાર

અન્ડરપાસ બન્યા સ્વિમિંગ-પૂલ : પાણીમાં ફસાયેલા સ્કૂલના સ્ટુડન્ટ્સને પોલીસ-વૅન સહિતનાં વ્હીકલ્સમાં બેસાડીને સલામત રીતે ઘરે પહોંચાડ્યા : ૫૮ વૃક્ષો ઊખડી ગયાં

24 July, 2026 11:45 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉમરગામ તાલુકામાં ૨૪ કલાકમાં ૧૦૬૪ મિલીમીટર વરસાદ ખાબક્યો ભારતનો થર્ડ-હાઇએસ્ટ

વલસાડ જિલ્લામાંથી ૧૨ હજાર અને નવસારી જિલ્લામાંથી ૧૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, વલસાડમાંથી ૨૦૦+ અને નવસારીમાંથી ૫૦+ લોકોને પાણીમાંથી ઉગારી લેવામાં આવ્યા : ગુજરાતમાં ૧૨૦૦ રસ્તા બંધ

24 July, 2026 07:16 IST | Navsari | Gujarati Mid-day Correspondent

વલસાડ અને નવસારી જિલ્લો મુશળધાર વરસાદ અને પૂરથી થયો લથબથ

ઉમરગામમાં સવાપંદર ઇંચ જેટલો, વલસાડમાં સવાઅગિયાર ઇંચ જેટલો, પારડીમાં ૧૦ ઇંચ જેટલો અને ખેરગામમાં પડ્યો સાડાનવ ઇંચ વરસાદ ઃ રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૨ તાલુકાઓમાં પડ્યો હળવોથી ભારે વરસાદ ઃ હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

23 July, 2026 12:46 IST | Valsad | Gujarati Mid-day Correspondent

`મુસ્લિમ નામને કારણે ઘર શોધવામાં મુશ્કેલી`-મહિલા `ઘર વાપસી` માટે પહોંચી હાઈકોર્ટ

ગુજરાતના વડોદરામાં રહેતી એક મહિલાએ લગ્ન પછી પોતાની મુસ્લિમ ઓળખ છોડીને ફરીથી ખ્રિસ્તી નામ અપનાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુજરાત હાઇકોર્ટે મહિલાની અરજી પર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

22 July, 2026 07:44 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

વલસાડ (તસવીર સૌજન્ય: ફેસબુક)

Gujarat: વલસાડ સ્ટેશન પર સૂતેલી બાળકીનું અપહરણ કરીને હત્યા, યૌન શોષણની શંકા

ગુજરાતના આણંદ જિલ્લાના વલસાડ રેલવે સ્ટેશન પર 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

20 July, 2026 05:37 IST | Valsad | Gujarati Mid-day Online Correspondent
સોનમ સુનાર (તસવીર: X)

ગુજરાત: ગાંધીધામમાં વિધર્મી પતિએ પત્નીને માર મારી હત્યા કરી, હિન્દુ સંગઠન આક્રમક

ફરિયાદ મુજબ, લગ્ન પછી તરત જ સુલતાન અને તેના પરિવાર દ્વારા સોનમને શારીરિક અને માનસિક હેરાનગતિનો ભોગ બનવું પડ્યું હતું. સોનમના પરિવારનો આરોપ છે કે મહિલા પર તેના મામાના પરિવાર સાથેના સંબંધો તોડવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું.

19 July, 2026 07:42 IST | Gandhidham | Gujarati Mid-day Online Correspondent
મોરારીબાપુ પાસેથી મળેલા ચિત્રકૂટ અવૉર્ડ સાથે નાથાલાલ.

એક ક્રાન્તિકારી શિક્ષક ધારે તો બાળકોને કેવું નવજીવન આપી શકે એ અહીં જોઈ લો

તોફાન કરતાં બાળકોને અનુલોમ-વિલોમ પ્રાણાયામની સજા આપતા પાલિતાણાના આ શિક્ષકે કંઈકેટલાય ઇનોવેટિવ પ્રયોગો કર્યા છે

19 July, 2026 01:52 IST | Mumbai | Ruchita Shah


ફોટો ગેલેરી

નગરના નાથ જગન્નાથજીને વધાવ્યા અક્ષત કુમકુમથી અમદાવાદી ભક્તજનોએ

અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.
17 July, 2026 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

કચ્છમાં યોજાયેલી સમીક્ષા-બેઠક.

કચ્છમાં સંભવિત અછતની પરિસ્થિતિનું આગોતરા આયોજન કરવા માટે કલેક્ટરે યોજી બેઠક

પશુપાલકોને ઘાસચારો મળી રહે અને અન્ય જિલ્લામાં સ્થળાંતર ન કરવું પડે એ સહિતની બાબતો પર થઈ ચર્ચા

16 July, 2026 09:48 IST | Kutch | Gujarati Mid-day Correspondent
ડાંગમાં હનુમાનના મંદિરનું લોકાર્પણ થયું હતું.

ડાંગમાં હનુમાનજીનાં વધુ ૮ મંદિર લોકાર્પણ

૩૧૧ ગામોમાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવાના અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ મંદિરો ખુલ્લાં મુકાયાં

16 July, 2026 09:45 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
મંદિર પરિસરમાં હાથીઓને લવાયા હતા. તસવીરઃ જનક પટેલ.

અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજી આજે નીકળ્યા નગરજનોને દર્શન આપવા

જગન્નાથજી મંદિરને ૫૦૦૦ કિલો ફૂલોથી શણગારવામાં આવશેઃ નરેન્દ્ર મોદીએ મોકલ્યો મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ

16 July, 2026 09:36 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK