Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી `વિકસિત ભારત`ના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે: CM પટેલ

Ahmedabad Jagannath Rath Yatra 2026 begins: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો; ૧૪૯મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી ભૂપેન્દ્ર પટેલે રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યો

16 July, 2026 01:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

સુરતના ડાયમંડ કિંગ ધીરૂ રામાણી ગુમ! માલીમાં ત્રણ ભારતીયના અપહરણની શંકા

Surat diamond trader Dhiru Ramani kidnapped in Mali: પશ્ચિમ આફ્રિકાના માલીમાં સુરતના હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી સહિત ત્રણ ભારતીયો ગુમ; કટ્ટરપંથી જૂથ દ્વારા તેમને મુક્ત કરવાના બદલામાં રૂપિયા ૧૦૦ કરોડની ખંડણી માંગવામાં આવી હોવાના અહેવાલ

16 July, 2026 12:37 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

કચ્છમાં સંભવિત અછતની પરિસ્થિતિનું આગોતરા આયોજન કરવા માટે કલેક્ટરે યોજી બેઠક

પશુપાલકોને ઘાસચારો મળી રહે અને અન્ય જિલ્લામાં સ્થળાંતર ન કરવું પડે એ સહિતની બાબતો પર થઈ ચર્ચા

16 July, 2026 09:48 IST | Kutch | Gujarati Mid-day Correspondent

ડાંગમાં હનુમાનજીનાં વધુ ૮ મંદિર લોકાર્પણ

૩૧૧ ગામોમાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવાના અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ મંદિરો ખુલ્લાં મુકાયાં

16 July, 2026 09:45 IST | Gujarat | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

 ગીરના જંગલમાં વસેલાં ઇન્ડિયન ગ્રે હૉર્નબિલ બર્ડ.

૬ દાયકા પહેલાં લુપ્ત થયેલાં ચિલોત્રા પક્ષી ફરી દેખાતાં થયાં ગીર જંગલમાં

૨૦૨૧માં ઇન્ડિયન ગ્રે હૉર્નબિલને અરવલ્લીનાં જંગલોમાંથી લાવીને પાછાં વસાવવામાં આવ્યાં

15 July, 2026 07:07 IST | Gir | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

જગન્નાથ રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પકડ્યા 5 શંકાસ્પદ, જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રથયાત્રા પહેલા સિદ્ધપુરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરી છે. જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે શંકાસ્પદ જોડાણો માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

14 July, 2026 09:14 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક! ન્યાય અપાવવાના બહાને વકીલે જ સગીરા સાથે આચર્યું...

Gujarat Crime: અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ન્યાય આપવા લડી રહેલા વકીલે જ બાળકી પર આચર્યું દુષ્કર્મ; સુરતમાં બની ઘટના; પીડિતાના પિતાની ફરિયાદ બાદ સુરત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ કરી આરોપી વકીલની ધરપકડ

14 July, 2026 04:57 IST | Surat | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

નગરના નાથ જગન્નાથજીને વધાવ્યા અક્ષત કુમકુમથી અમદાવાદી ભક્તજનોએ

અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.
17 July, 2026 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતથી મુંબઈના કતલખાને લઈ જવાતા ૧૭૦ બકરા મુક્ત કરાવ્યા માંડવી પોલીસે

આ મામલે પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને ૧૭૦ બકરા અને ટ્રક મળીને કુલ ૨૧.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે

12 July, 2026 09:30 IST | Mandavi | Gujarati Mid-day Correspondent
11 વર્ષના મયુર ચૌહાણને લઈ જનાર સિંહને પાંજરે પૂરવામાં આવ્યો (તસવીરો: X)

ગિરનાર: પરિવારની હાજરીમાં 11 વર્ષના બાળકને ખેંચી ગયો સિંહ, ફક્ત અવશેષો મળ્યા

ઘટના બાદ, પ્રશાસને જ્યાં હુમલો થયો હતો તે પગથિયાં સાથેનો રસ્તો અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રવાસીઓ અને ભક્તોને જૂના માર્ગે વાળવામાં આવી રહ્યા છે. વન વિભાગની ટીમો આ વિસ્તારમાં સતત દેખરેખ રાખી રહી છે.

11 July, 2026 05:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણી ઊતર્યા પછી સુરતની પોદાર આર્કેડનો ગઈ કાલનો નજારો, જેમાં દુકાનોનો માલસામાન ભંગારમાં ફેરવાઈ ગયેલો દેખાય છે.

ખાડીપૂર અને ભારે વરસાદને કારણે સુરતમાંથી મળી ૪૭ ડેડ-બૉડી

છેલ્લા ૪ દિવસમાં શહેરમાં ૪૩નાં અને જિલ્લામાં ચારનાં મોત : કોઈનું પાણીમાં ડૂબી જવાથી તો કોઈનું વીજળીનો કરન્ટ લાગથી કે ઝાડ પડવાથી થયું મોત

11 July, 2026 09:56 IST | Surat | Gujarati Mid-day Correspondent

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

CM ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ ગોધરામાં તૂટી ગયેલા રસ્તાનું કામ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

14 July, 2025 05:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK