જામીન મળ્યા છે હેલ્થ માટે, પણ અયોધ્યા પહોંચ્યા આસારામ

12 March, 2026 10:33 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા

આસારામ

સ્વયંઘોષિત ધર્મગુરુ અને બળાત્કારના દોષી આસારામ હાલમાં તબીબી કારણોસર વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે અને તેમણે બુધવારે ૧૦ માર્ચે સવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આસારામે અયોધ્યાના રોકાણ દરમ્યાન સરયૂ નદીના કિનારે યોજાયેલી આરતીમાં ભાગ લીધો હતો અને રામનગરીનાં મુખ્ય મંદિરોમાં દર્શન અને પૂજા કર્યાં હતાં.

gujarat news gujarat asaram bapu ram mandir ayodhya sexual crime