જૂનાગઢમાં ૧૦૭ ગુનામાં સંડોવાયેલા ગુનેગાર કારા રબારીના ગેરકાયદે બંગલા અને ફાર્મ-હાઉસ પર ફરી ‍વળ્યું બુલડોઝર

28 June, 2025 09:27 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

આ અભિયાનના ભાગરૂપે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના બંગલા પર અને તેના વૈભવી ફાર્મ-હાઉસ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરી છે.’

બુલડોઝર ફરી વળ્યું

જૂનાગઢમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ સહિતના ૧૦૭ ગુનામાં સંડોવાયેલા ગુનેગાર કારા રબારીના લીરબાઈપરામાં આવેલા અને ૭૫૦ ચોરસ મીટરમાં બનાવેલા ગેરકાયદે બંગલા તેમ જ કેન્દ્રીય વિદ્યાલય પાસે ૩૫૦૦ ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગેરકાયદે ફાર્મ-હાઉસ પર ગઈ કાલે બુલડોઝર ફરી ‍વળ્યું હતું. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતાં ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે. આ અભિયાનના ભાગરૂપે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના બંગલા પર અને તેના વૈભવી ફાર્મ-હાઉસ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરી છે.’

gujarat news gujarat junagadh Gujarat Crime Crime News