ગુજરાતમાં નવું મંત્રીમંડળ સ્થાપિત: જાણો કોણ છે નવા ચહેરા અને કોણ રહ્યું યથાવત

17 October, 2025 03:56 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

નવી કૅબિનેટમાં મુખ્ય પ્રધાનની સાથે સાત પાટીદારો, આઠ ઓબીસી, ત્રણ અનુસૂચિત જાતિ (એસસી) અને ચાર અનુસૂચિત જનજાતિ (એસટી)નો સમાવેશ થાય છે. આ સાથે ત્રણ મહિલા મંત્રીઓ જેમાં રીવાબા જાડેજા, દર્શના વાઘેલા અને મનીષા વકીલે પણ શપથ લીધા છે.

ગુજરાતના ગાંધીનગરમાં નવા ગુજરાત મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજાએ શપથ લીધા (તસવીર: એજન્સી)

ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 17 ઑક્ટોબર, શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 25 મંત્રીઓએ શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી પરિષદના તમામ સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેટલાક અગ્રણી નામોમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનારા હર્ષ સંઘવી, નવા પ્રવેશકર્તાઓ રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા અને કાંતિલાલ અમૃતિયાનો સમાવેશ થાય છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રાજ્ય મંત્રી પરિષદમાં જોડાયા ત્યારે સમારોહમાં હાજરી આપી હતી.

પાર્ટીના અધિકારીઓએ જેને ‘વ્યૂહાત્મક પુનઃનિર્માણ’ તરીકે વર્ણવ્યું હતું તેના ભાગ રૂપે, સીએમ પટેલ સિવાયના અગાઉના મંત્રીમંડળના રાજીનામા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

કૅબિનેટમાં નવા ચહેરા

  1. અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા – પોરબંદર
  2. રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા – જામનગર ઉત્તર
  3. કાંતિલાલ શિવાલાલ અમૃતિયા – મોરબી
  4. દર્શના એમ વાઘેલા – અસારવા (SC)
  5. પ્રદ્યુમન વાજા - કોડીનાર (SC)
  6. કૌશિક કાંતિભાઈ વેકરીયા – અમરેલી
  7. સ્વરૂપજી સરદારજી ઠાકોર – ત્રિકમ ચાંગા (અંજાર)
  8. ત્રિકમ બીજલ છાંગા – અંજાર
  9. નરેશભાઈ મગનભાઈ પટેલ – ગણદેવી (ST)
  10. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત – નિઝર (ST)
  11. પી. સી. બરંડા - ભિલોડા (ST)
  12. રમેશભાઈ ભુરાભાઈ કટારા – ફતેપુરા (ST)
  13. ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ – અંકલેશ્વર
  14. મનીષા રાજીવભાઈ વકીલ – વડોદરા શહેર (SC)
  15. પ્રવિણ માળી – ડીસા
  16. કમલેશભાઈ રમેશભાઈ પટેલ – પેટલાદ
  17. સંજયસિંહ રાજયસિંહ મહિડા – મહુધા
  18. જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી – ભાવનગર પશ્ચિમ

પુનરાવર્તિત મંત્રીઓ જેમને જાળવી રાખવામાં આવ્યા હતા

  1. ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ – ઘાટલોડિયા (મુખ્ય પ્રધાન)
  2. રૂષિકેશ ગણેશભાઈ પટેલ – વિસનગર
  3. કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા – જસદણ
  4. પ્રફુલ પાનસેરીયા – કામરેજ
  5. હર્ષ સંઘવી - મજુરા (નાયબ મુખ્ય પ્રધાન)
  6. પરશોત્તમભાઈ ઓ. સોલંકી – ભાવનગર ગ્રામ્ય
  7. કનુ મોહનલાલ દેસાઈ – પારડી

સીએમ પટેલ સહિત, ગુજરાત કૅબિનેટમાં હવે કુલ 26 મંત્રીઓ છે.

કાસ્ટ અને મહિલાઓને પ્રતિનિધિત્વ

નવી કૅબિનેટમાં મુખ્ય પ્રધાનની સાથે સાત પાટીદારો, આઠ ઓબીસી, ત્રણ અનુસૂચિત જાતિ (એસસી) અને ચાર અનુસૂચિત જનજાતિ (એસટી)નો સમાવેશ થાય છે. આ સાથે ત્રણ મહિલા મંત્રીઓ જેમાં રીવાબા જાડેજા, દર્શના વાઘેલા અને મનીષા વકીલે પણ શપથ લીધા છે. મુખ્ય પ્રધાન પટેલે પુનરાવર્તિત મંત્રીઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરીને તેમના સમાવેશની પુષ્ટિ કરી, ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવા પ્રવેશકર્તાઓને માહિતી આપી હતી.

સીએમ સિવાય આખા મંત્રી મંડળના રાજીનામાં

ગઈ કાલે બપોરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પાછા ગાંધીનગર પહોંચ્યા એ પછી તરત જ તેમની સરકારના તમામ ૧૬ પ્રધાનોનાં રાજીનામાં લેવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે દર બુધવારે મળતી કૅબિનેટની બેઠક પણ ૧૫ ઑક્ટોબરે મળી નહોતી.

gujarat news gujarat cm bhupendra patel Gujarat BJP harsh sanghavi gujarat gujarat government