ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાં કેટલીક છુટ, જીમ સલુન અને ધાર્મિક સ્થળો મુકાશે ખુલ્લાં

09 June, 2021 07:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કોરોનાના આકરા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દુકાનો, હોટલો અને ધાર્મિક સહિતના સ્થળો સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના હાહાકારને પગલે લેવાયેલા કેટલાક કડક નિયમો હળવા કરવામાં આવ્યાં છે.  રાજ્યમાં કોરોના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટિમાં લીધેલા નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ અને હોટલો 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.  આ સાથે જ 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. 

gujarat corona gujarat gujarat unlock