રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

25 March, 2026 01:04 PM IST  |  Rajkot | Bespoke Stories Studio

નિઃશુલ્ક દરબારો દ્વારા સમાજ કલ્યાણનો સંકલ્પ, રાજ્યભરમાં આગામી કાર્યક્રમોની જાહેરાત

રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, ૭૫૦થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ દરબારમાં ૭૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પવિત્ર મંત્રોના જાપ તથા મંત્ર સાધનાની શક્તિનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમમાં અનેક માનનીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમણે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દરબાર દરમિયાન ॐગુરુએ મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ જીવનમાં આવતી આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે સાત પ્રકારના દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કલિયુગમાં માનવ ભૌતિક સુખોની પાછળ દોડે છે, છતાં તેને સાચો સંતોષ મળતો નથી. મંત્ર થેરાપી દરબાર દ્વારા લોકોમાં દિવ્ય શક્તિ સાથે જોડાણ સ્થાપિત કરીને આંતરિક શાંતિ અને જીવનના પ્રશ્નોના ઉકેલ મેળવવામાં મદદ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશ અને વિશ્વભરમાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેથી દરેક વ્યક્તિ સુધી આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચી શકે. આ દરબારો દ્વારા વ્યક્તિગત સમસ્યાઓ દૂર કરવા સાથે સાથે સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપવામાં આવશે।

આગામી દરબાર ૧૨ એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યારબાદ આનંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજવાના આયોજન છે.

ગંભીર શારીરિક પડકારો હોવા છતાં ॐગુરુ સતત લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે.

 

rajkot gujarat news gujarat Bharat india