19 April, 2026 10:01 AM IST | Palitana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનારા યાત્રીઓ પાસેથી ગેરકાયદે રીતે ૨૦ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી. એને પગલે ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એન. ડી. ગોવાણીએ ૨૦૨૬ની ૧૭ એપ્રિલથી ૧૬ મે સુધી પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.