21 August, 2026 02:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં પહેલી વાર પચીસથી ૩૧ ઑગસ્ટ દરમ્યાન સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્પાપી ઉજવણી કરવામાં આવશે. શ્ળોકપઠન, ગીતાપઠન, નિબંધ–વક્તૃત્વ, સંસ્કૃત નાટ્ય સહિતની પ્રવૃત્તિઓ યોજાશે.
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા લેવલે સંસ્કૃત ગૌરવ, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય તથા સુભાષિત આધારિત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને સંસ્કૃત સાથે જોડવામાં આવશે. પચીસ ઑગસ્ટથી સંસ્કૃત ગૌરવયાત્રા, સંસ્કૃત ગીતો, સુભાષિતો, સંસ્કૃત ગ્રંથો તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શોભાયાત્રા નીકળશે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરન્ટ્સ અને સ્થાનિક નાગરિકો જોડાશે અને ઉજવણી કરાશે. આ ઉજવણી દરમ્યાન સંસ્કૃત સાહિત્યદિન ઊજcuવાશે જેમાં વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, સુભાષિતોનું વાચન, વ્યાખ્યાન, પુસ્તકપ્રદર્શન તેમ જ કાવ્યપઠન અને નિબંધસ્પર્ધાઓ યોજાશે.