15 February, 2026 12:29 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદના અસારવા રેલવે-સ્ટેશનથી રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે સોમવારથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે.
આ ટ્રેનનું ઉદ્ઘાટન સોમવારે ઉદયપુરથી થશે. ૧૬ ફેબ્રુઆરીએ ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨.૨૫ વાગ્યે ઊપડશે અને સાંજે ૫.૧૫ વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં તમામ દિવસોએ અસારવાથી સાંજે ૫.૪૫ વાગ્યે ઊપડશે અને રાતે ૧૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. એ જ રીતે ઉદયપુરથી આ ટ્રેન સવારે ૬.૧૦ વાગ્યે ઊપડશે અને ૧૦.૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેનમાં ઍર-કન્ડિશન ચૅરકાર અને એક્ઝિક્યુટિવ ચૅરકાર સહિત કુલ ૮ કોચ રહેશે. આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને ઝાવર સ્ટેશન પર ઊભી રહેશે. આ અદ્યતન ટ્રેન રિક્લાઇનિંગ અને આરામદાયક સીટો, મોબાઇલ ચાર્જિંગ, બાયો-ટૉઇલેટ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.