Air Indiaની ફ્લાઇટ ફરી ચર્ચામાં 5 કલાક સુધી લોકોને AC, ખોરાક, પાણી વગર રાખ્યા...

16 June, 2025 06:55 AM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

આ સમય દરમિયાન ન તો પ્લેનનું ઍર કન્ડીશનર (AC) ચાલુ કરવામાં આવ્યું હતું કે ન તો મુસાફરોને પાણી કે ખોરાક આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જોકે તે વીડિયો મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય X

છેલ્લા અનેક સમયથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સની ખૂબ જ ચર્ચા છે. તાજેતરમાં પણ આ ઍર ઇન્ડિયાથી પ્રવાસ કરનારા લોકોને કલાકો સુધી ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના બની છે. ઍર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. દુબઈથી જયપુર આવી રહેલી ઍર ઇન્ડિયા એક્સપ્રેસની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટૅકનિકલ ખામીને કારણે મુસાફરોને લગભગ પાંચ કલાક સુધી પ્લેનમાં જ બેસાડીને રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન ન તો પ્લેનનું ઍર કન્ડીશનર (AC) ચાલુ કરવામાં આવ્યું હતું કે ન તો મુસાફરોને પાણી કે ખોરાક આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જોકે તે વીડિયો મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી.

ફ્લાઇટમાં 150 થી વધુ મુસાફરો ફસાયા હતા

આ ઘટના 13 જૂનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX-196 સાંજે 7.25 વાગ્યે દુબઈથી જયપુર જવાની હતી. પરંતુ ટૅકનિકલ ખામીને કારણે પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું. આ દરમિયાન 150 થી વધુ મુસાફરો ફ્લાઇટમાં ફસાયા હતા. પ્લેનમાં AC પાંચ કલાકથી વધુ સમય સુધી બંધ રાખવામાં આવ્યું હતું, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ખાવા-પીવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી ન હતી

ફ્લાઇટમાં ફસાયેલા મુસાફરોએ જણાવ્યું હતું કે પાંચ કલાકના વેટ દરમિયાન તેમને પાણી પણ આપવામાં આવ્યું ન હતું. અન્ય કોઈ ખાદ્ય સામગ્રી પણ આપવામાં આવી ન હતી. ઍર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારીથી હેરાણ થયેલા મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી અને તેને મુસાફરોની સલામતીમાં ગંભીર ભૂલ ગણાવી.

ફ્લાઇટ લગભગ સાડા પાંચ કલાક મોડી જયપુર પહોંચી

લાંબી રાહ જોયા પછી, ટૅકનિકલ સમસ્યા ઉકેલાયા બાદ ફ્લાઇટ રાત્રે 12:44 વાગ્યે દુબઈથી રવાના થઈ. ફ્લાઇટ 13-14 જૂનની મધ્યરાત્રિએ 2:44 વાગ્યે જયપુર ઍરપોર્ટ પહોંચી. આ વિલંબને કારણે મુસાફરોને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જ નહીં, પરંતુ ઍરલાઇનની કાર્યશૈલી પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ઍર ઇન્ડિયા ફરી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ

નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરતા જ ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ક્રૅશ થયું હતું. અકસ્માતની થોડીક સેકન્ડોમાં જ વિમાન મેડિકલ કૉલેજના હોસ્ટેલ સાથે અથડાયું અને આગનો ગોળો બની ગયો હતો. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. તે જ સમયે, ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બનેલી આ ઘટનાને કારણે લોકો ફરીથી શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છે.

air india jaipur dubai viral videos international news