અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં ફરી બ્લાસ્ટ, 16 લોકોના મોત, 40 ઘાયલ

15 October, 2021 05:30 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં શિયા મસ્જિદમાં શુક્રવારે બપોરે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં શિયા મસ્જિદમાં શુક્રવારે બપોરે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર આ ઘટનામાં 16 લોકો માર્યા ગયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા. શુક્રની નમાઝ દરમિયાન સતત બીજા સપ્તાહમાં શિયા મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. ગત સપ્તાહે કુંડુંજ પ્રાંતમાં આવો જ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક અધિકારીઓએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે, વિસ્ફોટ કંધારના સિટી પોલીસ ડિસ્ટ્રિક્ટ 1 (PD1) ની એક મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં 16 લોકો માર્યા ગયા છે અને 40 અન્ય ઘાયલ થયા છે. હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

કંધારમાં બ્લાસ્ટ આઘાતજનક છે કારણ કે તે તાલિબાનનો ગઢ છે. એટલે કે, દેશમાં શાસક તાલિબાનનો ગઢ સુરક્ષિત નથી. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ શિયાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે, કારણ કે તે માને છે કે શિયાઓ ઇસ્લામના વિશ્વાસઘાતી છે. ISISના સમર્થકો સુન્ની મુસ્લિમો છે.

અગાઉ 8 ઓક્ટોબરે તે કુન્દુઝ પ્રાંતની શિયા મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો. જેમાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન IS-K એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આ વિસ્ફોટની સખત નિંદા કરવામાં આવી હતી. સુરક્ષા પરિષદે કહ્યું હતું કે આતંકના માસ્ટર્સને ન્યાયમાં લાવવાની જરૂર છે. આ હુમલો કાયરતાપૂર્ણ કૃત્ય છે. આતંકવાદ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે શાંતિ અને સલામતીનો મુદ્દો બની ગયો છે. સુરક્ષા પરિષદે આતંકવાદના માસ્ટર, તેમના ફાયનાન્સરોને પકડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

world news international news afghanistan taliban