03 April, 2026 11:42 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
કમાલ ખરાજી
ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન કમાલ ખરાજીના તેહરાનના ઘર પર ગુરુવારે અમેરિકાએ હુમલો કર્યો હતો. એમાં તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું અને કમાલ ખરાજીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કમાલ ખરાજી હાલમાં ઈરાનની સ્ટ્રૅટેજિક ફૉરેન રિલેશન્સ કાઉન્સિલના ચૅરમૅન છે. આ સંસ્થા દેશના સર્વોચ્ચ નેતાને સલાહ આપે છે અને વિદેશનીતિ સાથે સંકળાયેલા નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવું જાણવા મળ્યું છે કે કમાલ ખરાજી હાલમાં પાકિસ્તાનની સાથે સીઝફાયર વાતોને લઈને બૅકચૅનલના સંપર્કમાં હતા. જોકે એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.