ભારતમાં ૧૪ ટકા નોકરિયાતો જ ખુશ છે, ૮૬ ટકા સ્ટ્રગલ અથવા સહન કરે છે

13 June, 2024 03:24 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતીય વર્કપ્લેસની હાલત ખરેખર ચિંતાજનક જોવા મળી હતી.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં અમેરિકન ઍનલિટિક કંપનીએ બહાર પાડેલા ધ ગૅલપ ૨૦૨૪ના સ્ટેટ ઑફ ધ ગ્લોબલ વર્કપ્લેસ રિપોર્ટમાં વિશ્વભરમાં કામ કરતા નોકરિયાતોની મેન્ટલ હેલ્થ અને વેલબીઇંગનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતીય વર્કપ્લેસની હાલત ખરેખર ચિંતાજનક જોવા મળી હતી. માત્ર ૧૪ ટકા કર્મચારીઓએ જ પોતે કામના સ્થળે ખુશ અને સફળતાથી ખીલી રહ્યા હોવાનું કહ્યું હતું. ૮૬ ટકા કર્મચારીઓએ પોતે નોકરીમાં સ્ટ્રગલ અથવા તો સફર કરી રહ્યા હોવાનું કહ્યું હતું.

international news united states of america life masala washington