23 April, 2024 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામની એક હાઉસિંગ સોસાયટીના બેઝમેન્ટમાં મિત્રો સાથે રમતી વખતે ૯ વર્ષના આર્યવીર ચૌધરીને ૧૪ એપ્રિલે વીજળીના લાઇવ વાયરને અડી જતાં કરન્ટ લાગ્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. એ કેસમાં આર્યવીરના પિતાએ પોલીસમાં બિલ્ડિંગના ચૅરમૅન, સેક્રેટરી અને ઇલેક્ટ્રિશ્યન સામે બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરીને ૨૦ એપ્રિલે ચૅરમૅન, સેક્રેટરી અને ઇલેક્ટ્રિશ્યનની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધ્યો છે.