Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકચોર ધારીને ટોળાએ ૪ સાધુઓને ઘેરી લીધા

સાધુઓને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા પછી ખબર પડી હતી કે તેઓ મૂળ મધ્ય પ્રદેશના છે અને ત્યાંના મઠમાં રહે છે.

24 June, 2026 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai Rain Updates: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકલ ટ્રેન સેવા ખોરવાઈ

Mumbai Rain Updates: શહેરના કેટલાક વિસ્તારોમાં ૩૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાવાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; સતત વરસાદને લીધે રસ્તાઓ પરનો વાહનવ્યવહાર અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ; હવામાન વિભાગ દ્વારા આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

24 June, 2026 09:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લલિત શાહ અને પ્રવીણ સોલંકીની જોડીની નવી પહેલ

મલાડ-કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને ક્વેસ્ટ ફાઉન્ડેશન સાથે મળીને બહુરંગી સેન્ટર ઑફ પર્ફોર્મિંગ આર્ટ્‍સ (BCPA) દ્વારા સંચાલિત MKES સાંસ્કૃતિક કેન્દ્ર-મલાડની શરૂઆત

24 June, 2026 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કાનૂની વિવાદ બાદ આખરે ભાઈંદર-ઘોડબંદર લિન્ક પ્રોજેક્ટને રાજ્ય સરકારની મંજૂરી મળી

૧૭,૦૩૬ કરોડ રૂપિયાના ખર્ચે BOT મૉડલ હેઠળ બાંધકામ શરૂ કરવાની સત્તા અપાઈ

24 June, 2026 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકર

આશાતાઈનો નહીં, મરાઠી ભાષાનો શોકસંદેશ વંચાયો

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકરે દીનાનાથ મંગેશકરને દીનદયાલ મંગેશકર તરીકે સંબોધ્યા એને પગલે રાજ ઠાકરે ઊકળી ઊઠ્યા

24 June, 2026 08:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે

વિધાનસભામાં આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે જામી

આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને ફેંકનાથ મિંધે કહ્યા, એની સામે એકનાથ શિંદેએ કહ્યું કે જોર કા ઝટકા પછી હજી પણ ‘શૉક’ આપીશું

24 June, 2026 08:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યુવતીઓએ એક જ છત્રીમાં થોડુંક બચીને અને થોડુંક ભીંજાઈને પહેલા વરસાદની મજા માણી હતી.

મુંબઈમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું

સત્તાવાર ચોમાસું ભલે ગઈ કાલથી બેઠું, પણ મુંબઈમાં સતત ૩ દિવસથી વિવિધ સ્થળોએ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે

24 June, 2026 08:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

સુપ્રિયા સુળેની દીકરી રેવતીનાં લગ્નની આ ખાસ તસવીરો તમે જોઈ છે?

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારનાં દીકરી તેમ જ સંસદસભ્ય સુપ્રિયા સુળેની પુત્રી રેવતીનાં લગ્ન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટરમાં શનિવારે યોજાયાં હતાં. એમાં દેશભરથી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ તેમ જ બૉલીવુડ સ્ટાર હાજર રહ્યા હતા. રેવતી સુળેનાં લગ્ન નાગપુરના વિશ્વરાજ ગ્રુપના ઉદ્યોગપતિ તથા ભારતીય જનતા પાર્ટીના વર્ધા-ચંદ્રપુર-ગડચિરોલી મતદારક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય અરુણ લાખાણીના દીકરા સારંગ લાખાણી સાથે થયાં છે. આ લગ્નસમારંભ તથા એ પહેલાં યોજાયેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં શાહરુખ ખાન, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અનંત અંબાણી, અમિતાભ બચ્ચન સહિતના લોકો ઉપસ્થિત હતા. એમાં શાહરુખ ખાને પ્રી-વેડિંગ સેરેમની દરમ્યાન ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના સૉન્ગના ડાન્સ મૂવ્સ કરી રેવતીને હગ કરી એ વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. રેવતી સુળે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સથી ભણી છે તો સારંગે ન્યુ યૉર્કની કોલમ્બિયા બિઝનેસ સ્કૂલથી માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. હાલ સારંગ વિશ્વરાજ ગ્રુપનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને બૅડ્‍મિન્ટનમાં પણ ભારતને અનેક કૉમ્પિટિશનમાં રીપ્રેઝન્ટ કરી ચૂક્યો છે. 
22 June, 2026 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં તળાવોમાં પાણીનો સ્ટૉક માત્ર ૮.૦૭ ટકા! BMCએ મુંબઈકર્સને કરવી પડી અપીલ

Mumbai Water Level: BMCના રિપોર્ટ અનુસાર આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈના સાત મેઇન તળાવોમાં તેમની ક્ષમતાને જોતાં પાણીનો સ્ટૉક માત્ર 8.07 ટકા બચ્યો છે.

23 June, 2026 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ન્યૂઝ શોર્ટમાં: અલીબાગ પહોંચી ગયેલું મૉન્સૂન આજકાલમાં મુંબઈ પહોંચવાની શક્યતા

આજે પણ મુંબઇમાં કડાકા- ભડાકા સાથે વરસાદની શક્યતા

23 June, 2026 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલાં માલતી ગોહિલ.

ક્યારેય ગૅસ ઑન કરીને માચીસ શોધવાની મિસ્ટેક નહીં કરતા

લાઇટરથી ગૅસ ન પ્રગટ્યો એટલે એને ચાલુ રાખીને માચીસથી કોશિશ કરી અને ભડકો થયો: ડોમ્બિવલીમાં ૪૦ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ગુજરાતી મહિલાનું થયું કરુણ મોત

23 June, 2026 10:06 IST | Mumbai | Mehul Jethva

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK