શિવસેના શિંદે જૂથમાંથી UBT માં આવનારા માટે ઉદ્ધવ ઠાકરેની લીલી ઝંડી પણ આ હશે શરત

18 September, 2025 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં યોજાયેલી બેઠકમાં તેમના પક્ષના શાખા વડાઓ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, ઠાકરેએ તેમના પક્ષના બળવાખોર નેતાઓના પાછા ફરવા માટે કડક શરતો પણ છે.

ઉદ્ધવ ઠાકરે ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (મહાનગર પાલિકા ચૂંટણી 2025) માટે સમયમર્યાદા નક્કી કર્યા બાદ મુંબઈમાં રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચે 31 જાન્યુઆરી, 2026 પહેલાં ચૂંટણીઓ યોજવી પડશે એવો આદેશ છે. જેથી મુંબઈ BMCની ચૂંટણીઓ રાજ્યની સૌથી હાઇ-પ્રોફાઇલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંની એક હોવાની અપેક્ષા છે. ચૂંટણીના માહોલ વચ્ચે, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોના પાછા ફરવા માટે કડક શરતો મૂકી છે. તેમણે બળવાખોરોને ફરી પક્ષમાં લેવા માટે લીલીઝંડી આપી છે પરંતુ પાછા ફરનારાઓને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી છે. ઠાકરેની આ રણનીતિ એવા સમયે આવી છે જ્યારે એવી અટકળો વધી રહી છે કે એકનાથ શિંદે સાથે ગયેલા 15 ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો UBT માં પાછા ફરવા માગે છે.

ઉદ્ધવ ઠાકરેએ કડક શરતો મૂકી

બુધવારે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં યોજાયેલી બેઠકમાં તેમના પક્ષના શાખા વડાઓ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, ઠાકરેએ તેમના પક્ષના બળવાખોર નેતાઓના પાછા ફરવા માટે કડક શરતો પણ જાહેર કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પાર્ટી છોડી જનાર નેતાઓ અને ભૂતપૂર્વ કૉર્પોરેટરોને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેમને ચૂંટણી ટિકિટ નહીં મળે. મુંબઈમાં સત્તા જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરે મનસેના વડા રાજ ઠાકરે સાથે ચૂંટણી લડે તેવી અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દશેરા સંમેલનમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. ઉદ્ધવ ઠાકરે સતત વિચાર કરી રહ્યા છે અને તેમનો મુંબઈ ગેમ પ્લાન બનાવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા માતોશ્રી ખાતે મુંબઈના ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની બેઠક યોજાઈ હતી. બીએમસીમાં કુલ 227 વોર્ડ છે.

તે સમયે 43 કૉર્પોરેટરોએ પાર્ટી છોડી દીધી હતી

2022માં જ્યારે શિવસેનાનું વિભાજન થયું ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વમાં અનેક ધારાસભ્યો, સાંસદો અને કૉર્પોરેટરોએ પક્ષ બદલી નાખ્યો હતો. તે સમયે, ઉદ્ધવ જૂથના 43 કૉર્પોરેટરો શિંદેના શિવસેનામાં જોડાયા હતા. હવે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદે જૂથમાં જોડાવા માટે યુબીએસ છોડી ગયેલા 15 ભૂતપૂર્વ કૉર્પોરેટરો ઠાકરે સાથે પાછા આવવા માગે છે. તે બધા ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના નેતાઓને કહ્યું છે કે જો તેઓ તેમની સાથે જોડાવા માગે છે તેમને 100 ટકા ટેકો આપો. સૂત્રોએ કહ્યું કે તેમના નેતાઓની વિનંતીને પગલે, ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર નેતાઓને ઘરે પાછા ફરવા માટે લીલીઝંડી આપી છે, જોકે મહત્ત્વપૂર્ણ શરતો સાથે. જોકે, શિંદે સેનામાં 15 કૉર્પોરેટરો પાછા ફરવા માગે છે તે વાતનો ઇનકાર કરી રહી છે.

shiv sena uddhav thackeray eknath shinde bmc election municipal elections mumbai news raj thackeray maharashtra navnirman sena