23 February, 2026 11:59 AM IST | itlay | Gujarati Mid-day Correspondent
શિલ્પ
પથ્થર કે આરસમાંથી મૂર્તિઓ બનાવવા માટે જાણીતા ઇટલીના ફેમસ શિલ્પકાર ફૅમિબયો વિયાલે હવે આરસમાંથી થર્મોકોલ જેવાં શિલ્પો બનાવવાનું શરૂ કર્યું છે. મતલબ કે સફેદ રૂની પૂણી જેવા આરસને કોતરીને એમાંથી જે પણ શિલ્પો બનાવવામાં આવે એના પર થર્મોકોલની શીટ પર જેવાં બારીક ષટકોણ દોરેલાં હોય છે. એવી બારીક કારીગરી કરે છે. એને કારણે શિલ્પ આરસનાં નહીં, થર્મોકોલનાં હોય એવી ફીલ આપે છે. ફૅબિયોએ તો આરસના ટુકડાને આડાઅવળા કપાયેલા થર્મોકોલનો શેપ આપ્યો છે. આરસ એકદમ લીસો હોય છે જ્યારે થર્મોકોલ, સ્ટાયરોફોમ જેવાં ડિસ્પોઝેબલ પૅકેજિંગ મટીરિયલ જેવો ખરબચડો બનાવી દે છે.