રણબીર કપૂરના નવા ઘરમાં ગણેશજીની મૂર્તિ બનાવી છે અયોધ્યાના રામ મંદિરના મૂર્તિકારે

21 October, 2025 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મૂર્તિ ચાર ફુટ ઊંચી છે અને એને અઢી ફુટ ઊંચા આસન પર રાખવામાં આવી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દિવાળીના સમયગાળામાં પાલી હિલમાં આવેલા તેમના નવા ૨૫૦ કરોડ રૂપિયાના બંગલામાં શિફ્ટ થઈ જશે એવા રિપોર્ટ છે. રણબીર અને આલિયાના ઘરમાં ગણપતિબાપ્પાની ખાસ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિનું અયોધ્યાના રામ મંદિર સાથે એક ખાસ કનેક્શન છે. હકીકતમાં ગણેશજીની આ મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજે જ બનાવી છે.

મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના નવા ઘર માટે ગણેશજીની જે નવી મૂર્તિ બની છે એ માત્ર એક પથ્થરમાંથી કાપીને બનાવવામાં આવી છે. આ મૂર્તિ ચાર ફુટ ઊંચી છે અને એને અઢી ફુટ ઊંચા આસન પર રાખવામાં આવી છે.

ranbir kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news ayodhya ram mandir alia bhatt