આમિર ખાન એટલો પ્રામાણિક છે કે ફિલ્મ ખરાબ હોય તો તે કચરા જેવી ફિલ્મ છે એવું કહી દે છે: કુણાલ કપૂર

02 April, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુણાલ અને આમિરે ‘રંગ દે બસંતી’માં સાથે કામ કર્યું હતું

કુણાલ કપૂર

કુણાલ કપૂરનું કહેવું છે કે આમિર ખાન ખૂબ જ પ્રામાણિક હોવાથી તેનો ફીડબૅક ખૂબ જ મહત્ત્વનો છે. કુણાલ અને આમિરે ‘રંગ દે બસંતી’માં સાથે કામ કર્યું હતું. કુણાલની અમાયરા દસ્તુર સાથેની ‘કોઈ જાને જા’ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આમિરે ‘હરફન મૌલા’ ગીતમાં એલી અવરામ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ વિશે આમિરના રિસ્પૉન્સ વિશે કુણાલે કહ્યું હતું કે ‘આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં જેણે પણ ફિલ્મ જોઈ છે તેમાંનું કોઈ પણ છેલ્લે સુધી શું થશે એ ધારી શક્યું નહોતું. થ્રિલર-મિસ્ટરી માટે દર્શકોને છેલ્લે સુધી સીટ પર બેસાડી રાખવા ખૂબ જ મહત્ત્વનું છે. અમને ખાતરી થઈ ગઈ હતી કે અમારી જે સરપ્રાઇઝ છે એ ફિલ્મ માટે ફાયદાકારક છે. આમિર ખાન અને આશુતોષ ગોવારીકરને આપણે તેમની ફિલ્મ માટે ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ. તેમને બન્નેને આ ફિલ્મ ગમી હતી. ફીડબૅકની વાત હોય ત્યારે આમિર ખૂબ જ પ્રામાણિક હોય છે. અમે પહેલાં ખૂબ જ ચિંતામાં હતા, કારણ કે સ્ક્રી​નિંગ બાદ આમિર બહાર આવીને અમને કહી શકે છે કે તમે આ ફિલ્મને ભૂલી જાઓ અને આગળ વધો, કારણ કે આ ફિલ્મ કચરો છે અને એ નિષ્ફળ રહેશે. જોકે તેને ફિલ્મ પસંદ પડી હોવાથી મારા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે.’

entertainment news bollywood bollywood news kunal kapoor aamir khan