લલકારામાં વિક્રાન્ત મેસીના બદલે દાનિશ પંડોરની એન્ટ્રી

09 September, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાનની ‘લલકારા’માં વિક્રાન્ત મેસીના સ્થાને દાનિશ પંડોરની એન્ટ્રી થઈ હોવાના અહેવાલ છે. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મ લાલા અમરનાથના જીવન પર આધારિત છે.

દાનિશ પંડોર

આમિર ખાન ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત આગામી ફિલ્મ ‘લલકારા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ડિરેક્શન આશુતોષ ગોવારિકર કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’માં ઉઝૈર બલોચનો રોલ કરનાર દાનિશ પંડોર આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે આમિરના મિત્રની ભૂમિકા ભજવી શકે છે. જોકે, આ અંગે મેકર્સ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે અગાઉ આ ભૂમિકા માટે વિક્રાન્ત મેસીનું નામ સામે આવ્યું હતું. જોકે વિક્રાન્તે ફિલ્મ છોડી દીધી છે અને હવે તેની જગ્યાએ દાનિશ પંડોરની એન્ટ્રી થઈ છે.

aamir khan vikrant massey entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood