‘ચંડીગઢ કરે આશિકી’નું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું

29 November, 2021 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં આયુષ્માનની સાથે વાણી કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મને ૧૦ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે

‘ચંડીગઢ કરે આશિકી’ ટાઇટલની સલાહ આયુષ્માન ખુરાનાએ આપી હતી. આ વાત ડિરેક્ટર અભિષેક કપૂરે કહી છે. આ ફિલ્મને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં આયુષ્માનની સાથે વાણી કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને ૧૦ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો બિહાઇન્ડ ધ સીન્સ વિડિયો ટી-સિરીઝે એમની યુટ્યુબ ચૅનલ પર શૅર કર્યો છે. વિડિયોમાં અભિષેક કપૂર કહી રહ્યો છે કે ફિલ્મનું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું હતું. ત્યાર બાદ આ ટાઇટલ કેમ પસંદ પડ્યુ એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ચંડીગઢને વધારે ખાસ દેખાડવામાં નથી આવ્યું અને હું એનો પારંપરિક સ્વાદ આ ટાઇટલ દ્વારા આપવા માગું છું. મારા જન્મ અને ઉછેર ચંડીગઢમાં જ થયા છે. ચંડીગઢમાં પહેલી વખત શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ સુખદ રહ્યો હતો. સેક્ટર ૧૭ના જે કૅફે હાઉસમાં હું મારા પપ્પા સાથે બેસતો હતો એ વખતે કૉફી ૧૦ રૂપિયામાં હતી અને હવે ૩૫ રૂપિયા થઈ ગયા છે. કિતના બદલ ગયા ઇન્સાન.’

ayushmann khurrana vaani kapoor bollywood news entertainment news