19 April, 2024 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજીત દોસંજ
દિલજિત દોસંજના ઘરની બહાર પ્રોટેસ્ટ થયો હોવાથી તે તેની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખે છે એવી ચર્ચા છે. દિલજિતે લગ્ન કરી લીધાં છે અને તેને એક બાળક પણ હોવાની ચર્ચા છે. દિલજિતે આ વિશે કોઈ જાહેરાત નથી કરી અને તેણે કોઈ ચોખવટ પણ નથી આપી. દિલજિતની ‘અમર સિંહ ચમકિલા’માં તેના કો-સ્ટાર અંજુમ બત્રાએ કેસર સિંહ ટિક્કીનું પાત્ર ભજવ્યું હતું. દિલજિતનાં લગ્ન વિશે પૂછતાં અંજુમ કહે છે, ‘હું એ વિશે તો કમેન્ટ નહીં કરી શકું, કારણ કે મને એ વિશે કોઈ માહિતી નથી. જોકે તેણે એ જરૂર કહ્યું હતું કે વર્ષો પહેલાં તેના ઘરની બહાર ખૂબ જ પ્રોટેસ્ટ થયો હતો. આ પ્રોટેસ્ટ તેના કોઈ ગીતને કારણે કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને તે તેની ફૅમિલીની સેફ્ટીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ થઈ ગયો હતો અને એથી જ તે તેની પર્સનલ લાઇફ વિશે કોઈ જાહેરાત નથી કરતો. તે ઇચ્છે છે કે તેની ફૅમિલી શો બિઝનેસથી દૂર રહે.’