15 September, 2021 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
અનિલ કપૂરનું કહેવું છે કે સેન્સેશન ફેલાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ન કરવો જોઈએ. અનિલ કપૂર સોશ્યલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તે પોતાના વર્કઆઉટ વિડિયોથી લઈને અર્જુન કપૂર સાથે પણ સોશ્યલ મીડિયા પર મસ્તી કરતો રહે છે. અરબાઝ ખાનના શોમાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘હું લોકોને સલાહ આપવા માગું છું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ પૉઝિટિવલી કરવો જોઈએ. પ્રેમ અને પૉઝિટિવ મેસેજ ફેલાવવા માટે આ ખૂબ સારું પ્લૅટફૉર્મ છે. નેગેટિવિટી અને સેન્સેશન ફેલાવવા માટે એનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમારી પાસે જે-તે મેટરને લઈને કોઈ નૉલેજ ન હોય તો એ વિશે કમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. ચૂપ રહીને પોતાનું કામ કરવું વધુ સારું.’