30 June, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એશા અને ભરતની હૃષીકેશના પરમાર્થ નિકેતનની કેટલીક તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે
એશા દેઓલ અને ભરત તખ્તાની ગયા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૪માં અલગ થઈ ગયાં હતાં. એ સમયે એશાએ પતિ પર લગ્નબાહ્ય સંબંધોનો આરોપ લગાવ્યો હતો અને છૂટાછેડા લીધા હતા. હવે એક વર્ષ બાદ બન્નેને પ્રથમ વખત સાથે જોવામાં આવ્યાં છે. થોડા સમય પહેલાં તેમને ઍરપોર્ટ પર સાથે જોવામાં આવ્યાં હતાં. હવે તેમની સાથેની કેટલીક વધુ તસવીરો વાઇરલ થઈ રહી છે. એશા અને ભરતની હૃષીકેશના પરમાર્થ નિકેતનની કેટલીક તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં તેઓ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતી સાથે જોવા મળ્યાં હતાં.
અહીં ભરત અને એશાએ ગંગા માતાનાં દર્શન કર્યાં હતાં, સાથે મળીને આરતી કરી હતી તેમ જ છોડ વાવ્યો હતો. ભરત અને એશાએ આશ્રમમાં સારો એવો સમય પસાર કર્યો હતો અને એની તસવીરો વાઇરલ થઈ છે. અહીં એશા અને ભરતને સાથે જોઈને દરેકના મનમાં આ સવાલ ઊઠી રહ્યો છે કે શું આ બન્ને ફરીથી સાથે આવી ગયાં છે? જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને હકીકત શું છે એ સમય જ બતાવશે.