25 November, 2025 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિંગર શિલ્પા રાવ અને તેનો પરિવાર KBCમાં અમિતાભ બચ્ચન સાથે
પ્રખ્યાત પ્લેબેક સિંગર શિલ્પા રાવ અને સુખવિંદર સિંહ તાજેતરમાં `કૌન બનેગા કરોડપતિ` ના એક એપિસોડમાં આવ્યા હતા, જ્યાં શિલ્પાએ ફિલ્મ જવાનનું તેનું લોકપ્રિય ચાર્ટબસ્ટર ગીત ‘ચલેયા’ ગાઈને સ્ટેજ પર એન્ટ્રી કરી. આ ખાસ એપિસોડમાં, બન્ને ગાયકોએ તેમની સંગીત યાત્રાઓ, વ્યક્તિગત વાર્તાઓ અને ખૂબ જ અર્થપૂર્ણ હાવભાવ શૅર કર્યા હતા. જ્યારે શિલ્પાના માતાપિતા - શ્રીંગારપ્પા વેંકટ રાવ અને રાજનાલા શ્યામલા - પ્રેક્ષકોમાં હાજર હતા અને તેમની આંખો સમક્ષ તેમની પુત્રીના ગૌરવપૂર્ણ ક્ષણને જોયા ત્યારે શો વધુ ભાવનાત્મક રીતે ભરાઈ ગયો. એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પગલામાં, શિલ્પા રાવ અને સુખવિંદર સિંહે જાહેરાત કરી કે શોમાંથી તેમની જીતેલી રકમ નેબરહુડ વૂફ જે રખડતા કૂતરાઓના રક્ષણ, સંભાળ અને કલ્યાણ માટે સમર્પિત NGO છે તેને દાનમાં આપવામાં આવશે. આ નિર્ણયથી સમાજને પાછું આપવા અને તેમના હૃદયની નજીકના કાર્યોને ટેકો આપવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.
KBC દરમિયાન, શિલ્પાએ ખાસ કરીને સુખવિંદર સિંહના માર્ગદર્શનને યાદ કર્યું અને મુંબઈમાં તેની શરૂઆતની કારકિર્દી દરમિયાન તેમના અમૂલ્ય સમર્થન વિશે સમજાવ્યું. તેણે શૅર કર્યું કે સુખવિંદર સિંહ તેની પ્રતિભાને ઓળખનારા અને તેને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરનારા પ્રથમ લોકોમાંના એક હતા. "તેમણે હંમેશા મને પ્રેરણા અને ટેકો આપ્યો છે," શિલ્પાએ શોમાં તેની વાતચીત દરમિયાન કહ્યું. શિલ્પાએ શૅર કર્યું કે તેની સંગીત યાત્રા તેના પિતાના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેના પિતાએ દશેરા પર શિલ્પાના બાળપણના પ્રદર્શનની એક યાદ પણ શૅર કરી. શિલ્પાના પિતા, શ્રૃંગારપ્પા વેંકટ રાવ યાદ કરત અકહયું, "મેં શિલ્પાને કહ્યું હતું કે મેં જે તૈયાર કર્યું છે તે ગાઓ અને તેણે 30 મિનિટથી વધુ સમય સુધી ગાયું. હું ફક્ત ત્યાં ઉભો રહીને તેને જોતો રહ્યો. તે દિવસે, મને સમજાયું કે સંગીત તેનામાં કેટલું સ્વાભાવિક રીતે રહે છે." શિલ્પાએ પ્રેક્ષકોને હંમેશા એવા જીવનનો પીછો કરવાનો સંદેશ પણ આપ્યો જે તમને આદર અને ખુશી આપે. તેણે કહ્યું, "તમે કમર્શિયલ સિંગર બનો કે ન બનો, તમારા જીવનને સુંદર બનાવો. આ તમને આત્મસન્માન આપે છે."
બિગ બી અમિતાભ બચ્ચને શિલ્પાના પહેલા ગીત ‘તોસે નૈના’ની પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે તેણે દેશભરના પ્રેક્ષકોને તેનો અવાજ કેવી રીતે રજૂ કર્યો. શિલ્પાએ એ પણ યાદ કર્યું કે રેડિયોએ તે સમયે કેવી રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ફિલ્મ ‘અનવર’ ના ગીતો વારંવાર બધા સ્ટેશનો પર પ્રસારિત થતા હતા. લાઇવ પર્ફોર્મન્સથી લઈને હૃદયસ્પર્શી વાર્તાઓ અને ઉદાર દાન સુધી, આ KBC એપિસોડ સંગીત, માર્ગદર્શન, પરિવાર અને કરુણાનો ઉત્સવ બન્યો - અને શિલ્પા રાવની સંગીત યાત્રામાં વધુ એક યાદગાર ક્ષણ બની.