દર્શકોની પસંદગી પર ખરા ન ઊતરીએ તો અમે તમાચાને લાયક રહીશું : હૃતિક

03 October, 2022 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે દર્શકોની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે

હૃતિક રોશન

હૃતિક રોશનનું માનવું છે કે જો દર્શકોની પસંદગી પ્રમાણે કન્ટેન્ટ ન આપી શકીએ તો અમે તમાચાને લાયક ઠરીશું. ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે દર્શકોની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે. તેનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે વધુ એક્સપોઝર મળે છે. લોકોને પણ હટકે કન્ટેન્ટ જોવા મળે છે. આ સિવાય તેણે ફિલ્મમેકર્સ, રાઇટર્સ અને ઍક્ટર્સને ફ્રેશ આઇડિયા લાવવાની પણ વિનંતી કરી છે. સાથે જ તેણે સાઉથ અને નૉર્થ સિનેમામાં કોઈ ભેદભાવ નથી એવું જણાવ્યું છે. તેનું કહેવું છે કે માત્ર એક જ સિનેમા છે અને એ છે ઇન્ડિયન સિનેમા. ડિજિટલ પ્લૅટફૉર્મના વધતા જતા ચલણને લઈને હૃતિકે કહ્યું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે દર્શકોની પસંદગીમાં વિકાસ જોવા મળી રહ્યો છે એ સારી વાત છે. અમારે પણ તેમની અપેક્ષાએ ખરા ઊતરવાનું હોય છે. જો અમે તેમને સંતુષ્ટ કરી શકે એવી કન્ટેન્ટ ન લઈ આવીએ તો અમે અમારા ચહેરા પર તમાચો ખાવાને લાયક બનીશું.’

entertainment news bollywood gossips bollywood news bollywood hrithik roshan