નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

28 November, 2021 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને નિષ્ફળતાનો ડર નથી લાગતો. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પૂછવામાં આવ્યું કે આવી ફિલ્મો કરવા પાછળ તારી કોઈ સ્ટ્રૅટેજી હતી. એનો જવાબ આપતાં જૉને કહ્યું કે ‘મારી કરીઅરની શરૂઆતથી જ મારી સ્ટ્રેંગ્થ એ રહી છે કે મને નિષ્ફળતાનો ડર નથી લાગતો. શરૂઆતમાં મારી કેટલીક ફિલ્મો એવી હતી જે સમય કરતાં ઘણી આગળ રહી હતી, એથી મોટા ભાગના લોકોને એ ગમી નહોતી. એનો મને કોઈ વાંધો નથી. હું એ પણ જાણતો હતો કે દરેક સ્ટોરીના દર્શકો અલગ હોય છે. જો ન હોય તો સ્ટોરી પોતે જ પોતાના દર્શકો શોધી લે છે. એથી એવી કેટલીક ફિલ્મો હતી જેણે બૉક્સ-ઑફિસ પર ખૂબ કલેક્શન કર્યું હતું. એ વિશે તો ફિલ્મ બનાવતી વખતે પણ નહોતું વિચાર્યું. હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news john abraham