‘ઓછા એફઆઇઆર અને વધુ લવ-લેટર’

02 January, 2022 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાલાજીના મંદિરે જઈને આવી પ્રાર્થના કરી કંગનાએ

બાલાજીના મંદિરે જઈ આવી કંગનાએ

કંગના રનોટે તિરુપતિ બાલાજીના મંદિરે જઈને આ વર્ષે ઓછી પોલીસ-ફરિયાદ દાખલ થાય એવી પ્રાર્થના કરી છે. કંગના વિરુદ્ધ અનેક પોલીસ-ફરિયાદ અને એફઆઇઆર દાખલ છે. તેનાં બિન્દાસ નિવેદનને કારણે તેની વિરુદ્ધ ફરિયાદ થઈ છે. બાલાજી મંદિરમાં દર્શન કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વમાં માત્ર એક જ રાહુ-કેતુનું મંદિર છે અને એ તિરુપતિ બાલાજીની ખૂબ નજીક છે. પાંચ તત્ત્વોમાંથી વાયુ તત્ત્વ અહીં હાજર છે. ખૂબ ઉલ્લેખનીય સ્થાન છે. મારા પ્રેમાળ દુશ્મનો માટે દયાની પ્રાર્થના કરવા ગઈ હતી. આ વર્ષે મને ઓછી પોલીસ-ફરિયાદ તથા એફઆઇઆર અને વધારે લવ-લેટર્સ જોઈએ છે. જય રાહુ-કેતુજી કી.’

entertainment news bollywood bollywood news bollywood gossips new year kangana ranaut