02 June, 2026 09:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારત ભાગ્ય વિધાતા ટ્રેલરનું પોસ્ટર
કંગના રનૌતની આગામી ફિલ્મ `ભારત ભાગ્ય વિધાતા`નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે. પૅન મૂવીઝ અને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા ટ્રેલર શૅર કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ કરતી વખતે, ફિલ્મ મેકર્સે લખ્યું, "હેડલાઇન્સે આતંકને યાદ કર્યો. ઇતિહાસ નાયકોને ભૂલી ગયો. જ્યારે આતંક આવ્યો, ત્યારે તેઓએ હિંમત પસંદ કરી. આ તેમની વાર્તા છે." ટ્રેલર રિલીઝ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા દર્શકોએ ફિલ્મની વાર્તા અને કલાકારોના અભિનય અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ટ્રેલર રિલીઝ થતાં જ, દર્શકોએ તેમના મંતવ્યો કમેન્ટ સૅકશનમાં શૅર કર્યા. એક યુઝરે લખ્યું, "હવે આ જનતાને ગમશે." બીજા એક યુઝરે ટિપ્પણી કરી, "OMG, Goosebumps. ટ્રેલરે જ મને સ્ક્રીન સાથે જોડી રાખ્યો. આ પંક્તિઓ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગઈ: `અમે જરૂરી નથી, પણ અમે જે કરીએ છીએ તે જરૂરી છે.` UnsungHeroes ને સલામ."
ઘણા દર્શકોએ ફિલ્મની વાર્તાને 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલી ઓછી જાણીતી વાર્તા તરીકે જોઈ. એક યુઝરે લખ્યું, "મેં હમણાં જ ટ્રેલર જોયું, અને તે ખૂબ જ શક્તિશાળી લાગ્યું. 26/11 સંબંધિત એક વાર્તા પ્રકાશમાં આવી રહી છે - જે ઘણા લોકો જાણતા નથી. કંગના રનૌતનો અભિનય પણ ખૂબ પ્રભાવશાળી લાગે છે." બીજા એક દર્શકે કંગના રનૌતના અભિનય કૌશલ્યની પ્રશંસા કરતા લખ્યું, "`ભારત ભાગ્ય વિધાતા` ટ્રેલર અલગ રીતે હિટ કરે છે. કોઈ નકલી વીરતા નથી, ફક્ત 26/11 દરમિયાન લોકો પોતાની ફરજ બજાવી રહ્યા છે. 400 જીવન વિશેની તે હકીકત મને હચમચાવી નાખે છે. કંગના રનૌત તેના દરેક ફ્રેમ પર પોતાની પકડ બનાવી છે."
`ભારત ભાગ્ય વિધાતા` ફિલ્મનું દિગ્દર્શન અને લેખન મનોજ તાપડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગિરિજા ઓક, સ્મિતા તાંબે, પ્રસાદ ઓક, ઈશા ડે, રસિકા અગાશે અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કંગના રનૌત, જયંતિલાલ ગડા, બબીતા આશીવાલ, આદિ શર્મા અને શૈલેષ આર. સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. પૅન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મ્સ, યુનોઈયા ફિલ્મ્સ અને ફ્લોટિંગ રોક્સ એન્ટરટેઈનમેન્ટના બૅનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક અમન પંત દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી અયાન સિલે કરી છે. વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત, `ભારત ભાગ્ય વિધાતા` 12 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ટ્રેલરમાં જોવા મળ્યું કે આ ફિલ્મમાં 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન હૉસ્પિટલની નર્સ અને સ્ટાફ દ્વારા દાખવવામાં આવેલી હિંમત અને બહાદુરીની વાર્તા જોવા મળશે.