ઍક્ટર્સને સતત ટ્રોલ કરવામાં આવતા હોવાથી ટ‍્વિટર પર નથી આવતી કરીના

11 August, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ખાન મુજબ દરરોજ કોઈને કોઈ વાતને લઈને લોકોને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને ટ‍્વિટર પર ન હોવાનું ખરું કારણ જણાવ્યું છે. તેના મુજબ દરરોજ કોઈને કોઈ વાતને લઈને લોકોને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. એથી તે ટ્વિટરથી દૂર રહે છે. તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આજે રિલીઝ થઈ રહી છે. ટ‍્વિટર પર ન હોવા વિશે કરીનાએ કહ્યું કે ‘દરરોજ કોઈ કારણસર અમને ટ્રોલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે હું ટ‍્વિટર પર નથી. મને એવું લાગે છે કે લોકો માત્ર પોતાની ભડાસ કાઢવા માગે છે અને મારી પાસે એના માટે સમય નથી. હું મારાં બાળકો, ફૅમિલી અને મારા કામ સાથે ખૂબ બિઝી છું. આ બધી વસ્તુઓ માટે મારી પાસે ટાઇમ નથી.’

bollywood news entertainment news bollywood gossips bollywood laal singh chaddha kareena kapoor twitter