22 October, 2021 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનનું કહેવું છે કે મહામારી દરમ્યાન મારામાં જોખમ લેવાની ક્ષમતા આવી ગઈ છે. કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન લાગી ગયું હતું. એ લૉકડાઉને જીવન અને પરિવારનું મહત્ત્વ લોકોને સમજાવ્યું છે. લોકો ઘરમાં રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા. લોકોના કામ પર પણ બ્રેક લાગી ગઈ હતી. લૉકડાઉન વિશે કાર્તિકે કહ્યું કે ‘લૉકડાઉન દરમ્યાન મેં કામ નહોતું કર્યું. આખું વર્ષ બરબાદ થઈ ગયું હતું. જોકે લૉકડાઉને મને કેટલીક બાબતોને લઈને અલગ દૃષ્ટિકોણ શીખવાડ્યો છે. એણે મને વિચારવાનો અને નવું કરવાની તક આપી હતી. કોવિડ પહેલાં હું બે ફિલ્મોમાં કામ કરતો હતો. ત્યાર બાદ તો એવી ફિલ્મો કરી જે મેં અત્યાર સુધી નહોતી કરી. મહામારીને કારણે મારામાં જોખમ ખેડવાની ક્ષમતા આવી હતી. એથી અલગ સ્ટોરી પર કામ કરતો થયો. દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. મહામારી દરમ્યાન જોખમ લેતો થયો. હું વર્કોહૉલિક છું. હવે પોઝ બાદ રીસેટ મોડમાં આવી ગયો છું.’