‘જનહિત મેં જારી’ લઈને આવી રહી છે નુશરત ભરૂચા

24 September, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી મધ્ય પ્રદેશના ચંદેરીમાં શરૂ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત શૅર કરતાં નુશરતે કૅપ્શન આપી હતી કે ‘એક વુમનિયા સબ પર ભારી, યે સૂચના હૈ ‘જનહિત મેં જારી.’’

‘જનહિત મેં જારી’ લઈને આવી રહી છે નુશરત ભરૂચા

નુશરત ભરૂચા કૉમેડી ફિલ્મ ‘જનહિત મેં જારી’ લઈને આવવાની છે. આ ફિલ્મની સ્ટોરી ‘ડ્રીમગર્લ’ના ડિરેક્ટર રાજ શાંડિલ્યએ લખી છે અને નવોદિત ડિરેક્ટર જય બન્ટુ સિંહ એને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં નુશરતની સાથે અનુદ ઢાકા, અનુ કપૂર અને પરિતોષ ત્રિપાઠી પણ જોવા મળશે. ફિલ્મને વિનોદ ભાનુશાલી પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી મધ્ય પ્રદેશના ચંદેરીમાં શરૂ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત શૅર કરતાં નુશરતે કૅપ્શન આપી હતી કે ‘એક વુમનિયા સબ પર ભારી, યે સૂચના હૈ ‘જનહિત મેં જારી.’’

nushrat bharucha bollywood news bollywood bollywood gossips entertainment news