મનોજ બાજપેયીના જન્મદિવસે `ભૈયા જી`ના ગીત `બાઘ કા કરેજા`નું ટીઝર રિલીઝ

23 April, 2024 09:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી આજે તેમનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસના આ ખાસ અવસર પર `ભૈયા જી`ના નિર્માતાઓએ ફિલ્મના ગીત `બાઘ કા કરેજા`નું ટીઝર રિલીઝ કર્યું છે. આખું ગીત આવતીકાલે રિલીઝ થશે. આ ગીત મનોજ તિવારીએ ગાયું છે.

મનોજ બાજપેયી (ફાઈલ તસવીર)

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી આજે તેમનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસના આ ખાસ અવસર પર `ભૈયા જી`ના નિર્માતાઓએ ફિલ્મના ગીત `બાઘ કા કરેજા`નું ટીઝર રિલીઝ કર્યું છે. આખું ગીત આવતીકાલે રિલીઝ થશે. આ ગીત મનોજ તિવારીએ ગાયું છે. જેને ડો.સાગર દ્વારા લખવામાં આવ્યું છે અને તેનું સંગીત આદિત્ય દેવે આપ્યું છે. મનોજ બાજપેયી માટે આજનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે તેણે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે.

મનોજ બાજપેયી કહે છે, `વધતી ઉંમર સાથે હું ચોક્કસપણે વૃદ્ધ થઈ રહ્યો છું, પરંતુ આ જન્મદિવસ ખાસ છે કારણ કે આ વર્ષે મેં ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા છે. મેં લગભગ સો ફિલ્મો કરી છે.

ફિલ્મ `ભૈયા જી`નું નિર્દેશન અપૂર્વ સિંહ કાર્કી દ્વારા કરવામાં આવ્યું છે. અપૂર્વ સિંહે `એક બંદા કાફી હૈ`નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં મનોજ બાજપેયીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ `ભૈયા જી` મનોજ બાજપેયીના કરિયરની 100મી ફિલ્મ છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર લૉન્ચ કરતી વખતે મનોજ બાજપેયીએ લખ્યું હતું - `હવે કોઈ વિનંતી નહીં થાય, નરસંહાર થશે! ભૈયાજીની પહેલી ઝલક આવી ગઈ. 24મી મેના રોજ થિયેટરમાં `ભૈયા જી`ને મળો.

ઉલ્લેખનીય છે કે મનોજ બાજપાઈ આજે પંચાવન વર્ષનો થયો છે અને તે તેની ફૅમિલી સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરશે. તેની ‘સાઇલન્સ 2’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેની ફિલ્મના પ્રમોશન બાદ તે હવે તેની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યો છે. આજે તેનો બર્થ-ડે હોવાથી તે તેમની અને નજીકના મિત્રો સાથે એ સેલિબ્રેટ કરશે. મોટા ભાગે તેનો જન્મદિવસ કેવી રીતે સેલિબ્રેટ કરવો એ તેની ફૅમિલી જ નિર્ણય લેતી હોય છે એમાં મનોજ બાજપાઈનું કોઈ યોગદાન નથી હોતું. વર્ષોથી મનોજ બાજપાઈના જન્મદિવસે તેની દીકરી અવા નાયલા જ કેક કાપે છે. દીકરી થોડી મોટી થઈ ત્યાર બાદ એક પણ વાર મનોજ બાજપાઈએ કેક નથી કાપી.

મનોજ બાજપાઈએ સમાજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે આજે લોકો નિરાશાવાદી બની ગયા છે. મનોજ બાજપાઈએ તેના પર્ફોર્મન્સથી લોકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે ‘રોડ’, ‘રાજનીતિ’, ‘આરક્ષણ’, ‘નામ શબાના’, ‘કિક’, ‘જોરમ’ અને ‘સત્યા’માં પણ કામ કર્યું છે. સમાજ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો દુખી છે. કદાચ તેઓ જે ચાહે છે એ તેમને નથી મળી રહ્યું. તેઓ એવા હીરોઝ જોવા માગે છે જે અંતમાં જીતી જાય. આજે આપણો સમાજ એવા સ્ટેજ પર આવી ગયો છે જ્યાં લોકો નિરાશાવાદી બની ગયા છે. લોકો દરેક જનરેશનમાં એવા હીરોને શોધે છે જેમાં તેઓ પોતાને જોઈ શકે. લોકોને એવી ફિલ્મો જોવી ગમે છે જે સમયને અનુરૂપ હોય.

manoj bajpayee happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news